મોરબીમાં રજવાડી પોશાક, તલવાર અને સાફા સાથે મહારેલી-શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો
મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગૃપ દ્વારા 160 બાળાઓને લ્હાણી વિતરણ
SHARE








મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગૃપ દ્વારા 160 બાળાઓને લ્હાણી વિતરણ
નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે મોરબી શહેરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા 160 બાળાઓને લ્હાણી આપવામાં આવી હતી. તે બદલ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ, જય માતાજી ગરબી મંડળ, સરસ્વતી મિત્ર મંડળ દ્વારા અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપનો આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલેખનીય છે કે, અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા મોરબીના વાઘપરા ખાતે ગાયત્રી ગરબી મંડળની 53 બાળાઓ, સરસ્વતી સોસાયટી ખાતે સરસ્વતી મિત્ર મંડળ દ્વારા આયોજિત નવરાત્રિમાં 51 બાળાઓને તેમજ મોરબીના લીલાપર રોડ પર જય માતાજી ગરબી મંડળની 56 બાળાઓને લ્હાણી આપવામાં આવી હતી. તમામ સ્થળે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ, મોરબીના મહિલા પીઆઇ પી.એચ.લગધીરકા તેમજ ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

