મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ અને દુર્ગા વાહીનીના સંયુકત ઉપક્રમે શસ્ત્ર પુજન
મોરબી સહિત છ જિલ્લામાં ૨૧૯ જગ્યાએ એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા નવરાત્રી દરમિયાન તલવાર વિતરણ કરાયુ
SHARE








મોરબી સહિત છ જિલ્લામાં ૨૧૯ જગ્યાએ એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા નવરાત્રી દરમિયાન તલવાર વિતરણ કરાયુ
મોરબી જિલ્લા સહિત છ જિલ્લાઓમાં નવરાત્રી દરમિયાન જુદી-જુદી ૨૧૯ જગ્યાઓએ "એકતા એ જ લક્ષ્ય સંગઠન" ના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા.જેમાં સંસ્થા સાથે જોડાયેલા ૫૦ જેટલા કાર્યકર્તાઓ દ્વારા જુદા જુદા ગરબી મંડળોમાં જઈને ત્યાં માઁ ભવાનીના પ્રતીક સમાન તલવાર અર્પણ કરવામાં આવી હતી.દરમ્યાન ધર્મ જાગૃતિ, તહેવારોનું મહત્વ અને હિન્દુ એકતા વગેરે વિષયો ઉપર પણ ચર્ચાઓ કરવામાં આવી હતી અને વક્તવ્ય આપવામાં આવ્યા હતા.
મોરબી સહિત છ જેટલા જિલ્લાઓમાં "એકતા એ જ લક્ષ્ય સંગઠન" ના ૫૦ જેટલા કાર્યકર્તાઓ જુદા જુદા સમયે નવરાત્રિ પંડાલોમાં નવરાત્રી દરમિયાન પહોંચ્યા હતા અને નવરાત્રી દરમિયાન માઁ ભવાનીના પ્રતીક સમાન તલવારો જુદી જુદી ૨૧૯ જેટલી જગ્યાઓએ અર્પણ કરવામાં આવી હતી.આ દરમિયાન ત્યાં હાજર લોકોની સાથે ધર્મ જાગૃતિ, તહેવારોનું મહત્વ, હિન્દુ એકતા જેવા વિષયો ઉપર વક્તવ્ય આપીને ચર્ચાઓ કરવામાં આવી હતી.હિન્દુ ભગીરથસિંહ રાઠોડ સહિતની તેઓની ટીમ દ્વારા આ સમગ્ર કાર્યક્રમ કરવામાં આવ્યા હતા.દશેરાના દિવસે મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ગામે પ્રભુકૃપા ટાઉનશિપમા પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને ત્યાં તલવાર અર્પણ કરવાની સાથે સાથે શસ્ત્ર પૂજનનો પણ કાર્યક્રમ કરવામાં હતો.છ જિલ્લાની ૨૧૯ જગ્યાએ તલાવર આપવામાં આવી ત્યાં ત્યાં પણ શસ્ત્ર પૂજન યોજાયું હતું.

