મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી-માહેશ્વરી પ્રગતિ મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું
SHARE








મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી-માહેશ્વરી પ્રગતિ મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું
મોરબી ખાતે તા ૧૩ ના રોજ મુસ્કાન વેલ્ફેર સોસાયટી અને મહેશ્વરી પ્રગતિ મંડળના સંયુક્ત ઉપક્રમે સંસ્કાર બ્લડ બેંક એન્ડ ઈમેઝિંગ સેન્ટર, સનાળા રોડ, મોરબી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતુ. અને રક્તદાન કરનારાઓ માટે ફળો સાહિતની વ્યવસ્થા સંસ્થાઓ દ્વારા તેમજ બ્લડ સેન્ટર તરફથી જ્યુસની વ્યવસ્થા કરવામાં આવી હતી અને રક્તદાન કરનારાઓને સિર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા. અને મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સભ્યો પોતાની સામાજીક ફરજના ભાગ રૂપે મોરબી પંથકમાં અનેક સામાજીક, શૈક્ષણિક, સેવાકીય, ધાર્મિક કાર્યો કરવા માટે જાણીતા છે.

