વાંકાનેરના સરતાનપર પાસે ટ્રક હડફેટ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબીમાં ટ્રાફિક નિયમન માટે વન-વે જાહેરનામું પ્રસિદ્ધ મોરબીના વેપારી યુવાન સાથે 1.51 કરોડના ફ્રોડના ગુનામાં દહેરાદુન-દિલ્હીથી વધુ ત્રણ આરોપીને પકડીને રિમાન્ડ ઉપર લેવાયા ટંકારા તાલુકામાં સવા બે ઇંચ, મોરબી અને વાંકાનેર તાલુકામાં અડધો ઇંચ વરસાદ મોરબીમાં મચ્છુ માતાની રથયાત્રાના રૂટ ઉપર એસપીની આગેવાનીમાં પોલીસનું ફૂટ પેટ્રોલિગ યોજાયુ મોરબી તાલુકામાં વાહનોમાંથી ડીઝલ ચોર કરતી રાજ્યવ્યાપી ગેંગના ચાર સાગરીતો 3.61 લાખના મુદામાલ સાથે ઝડપાયા, પાંચ શખ્સોની શોધખોળ મોરબી નજીક સર્જાયેલ અકસ્માતમાં ગંભીર ઇજા પામેલ બે વર્ષના માસૂમ બાળકનું મોત ટંકારાના હડમતીયા ગામે નજીવી વાતમાં એક જ પરિવારના લોકો વચ્ચે મારામારી: બાળક, મહિલા સહિત 10 ને ઇજા
Breaking news
Morbi Today

મોરબીના નિખિલ ધામેચા હત્યા કેસની ગૂંથી ઉકેલવા સીબીઆઇની ટીમ તપાસ શરૂ કરી


SHARE















મોરબીના નિખિલ ધામેચા હત્યા કેસની ગૂંથી ઉકેલવા સીબીઆઇની ટીમ તપાસ શરૂ કરી

મોરબીના રમઘાટ પાસેથી વર્ષ ૨૦૧૫ માં ૧૪ વર્ષના નિખિલની નિર્મમ હત્યા કરેલ હાલતમાં કોથળામાંથી લાશ મળી હતી. જે ગુનાની તપાસ હાઇકોર્ટ દ્વારા સીબીઆઇને સોપવાનો હુકમ કરવામાં આવ્યો હતો જેથી કરીને સીબીઆઇની ટીમ સોમવારે આવી હતી અને મોરબી એસપી ઓફિસ ખાતે નિખિલ ધામેચાના માતા પિતાને બોલાવીને તેને નિવેદન લેવામાં આવ્યા હતા.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પરેશભાઈ ધામેચાના ૧૪ વર્ષના દીકરા નિખિલની નિર્મમ હત્યા કરવામાં આવી હતી અને તેની લાશ મોરબીના રમઘાટ પાસેથી વર્ષ ૨૦૧૫ માં મળી હતી જેની એ ડિવિઝનમાં ફરિયાદ નોંધેયલ હતી. જેની પહેલા સ્થાનિક પોલીસ ત્યાર બાદ એલસીબી અને છેલ્લે સીઆઇડી દ્વારા તપાસ કરવામાં આવી હતી તો પણ હત્યા કેસનો ભેદ ઉકેલાયેલ ન હતો જેથી કરીને આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે તેવી પરિવારે માંગણી કરી હતી તેવામાં હાઇકોર્ટ દ્વાર સીઆઇડી પાસેથી આ કેસને સીબીઆઇને સોંપવાનો હુકમ કરવામાં આવેલ છે જેથી કરીને સીબીઆઈના ડીવાયએસપી સહિતના અધિકારીઓએ મોરબી આવ્યા હતા અને મોરબી એસપી ઓફિસ ખાતે નિખિલના માતા અને પિતાને બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં તેઓના નિવેદન લેવા સહિતની કામગીરી કરવામાં આવી હતી.






Latest News