મોરબીમાં ઇન્ડીયન લાયન્સ કલબ દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન
મોરબીના નિખિલ ધામેચા હત્યા કેસની ગૂંથી ઉકેલવા સીબીઆઇની ટીમ તપાસ શરૂ કરી
SHARE








મોરબીના નિખિલ ધામેચા હત્યા કેસની ગૂંથી ઉકેલવા સીબીઆઇની ટીમ તપાસ શરૂ કરી
મોરબીના રમઘાટ પાસેથી વર્ષ ૨૦૧૫ માં ૧૪ વર્ષના નિખિલની નિર્મમ હત્યા કરેલ હાલતમાં કોથળામાંથી લાશ મળી હતી. જે ગુનાની તપાસ હાઇકોર્ટ દ્વારા સીબીઆઇને સોપવાનો હુકમ કરવામાં આવ્યો હતો જેથી કરીને સીબીઆઇની ટીમ સોમવારે આવી હતી અને મોરબી એસપી ઓફિસ ખાતે નિખિલ ધામેચાના માતા પિતાને બોલાવીને તેને નિવેદન લેવામાં આવ્યા હતા.
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પરેશભાઈ ધામેચાના ૧૪ વર્ષના દીકરા નિખિલની નિર્મમ હત્યા કરવામાં આવી હતી અને તેની લાશ મોરબીના રમઘાટ પાસેથી વર્ષ ૨૦૧૫ માં મળી હતી જેની એ ડિવિઝનમાં ફરિયાદ નોંધેયલ હતી. જેની પહેલા સ્થાનિક પોલીસ ત્યાર બાદ એલસીબી અને છેલ્લે સીઆઇડી દ્વારા તપાસ કરવામાં આવી હતી તો પણ હત્યા કેસનો ભેદ ઉકેલાયેલ ન હતો જેથી કરીને આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે તેવી પરિવારે માંગણી કરી હતી તેવામાં હાઇકોર્ટ દ્વાર સીઆઇડી પાસેથી આ કેસને સીબીઆઇને સોંપવાનો હુકમ કરવામાં આવેલ છે જેથી કરીને સીબીઆઈના ડીવાયએસપી સહિતના અધિકારીઓએ મોરબી આવ્યા હતા અને મોરબી એસપી ઓફિસ ખાતે નિખિલના માતા અને પિતાને બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં તેઓના નિવેદન લેવા સહિતની કામગીરી કરવામાં આવી હતી.

