મોરબી નજીક સર્જાયેલ અકસ્માતમાં ગંભીર ઇજા પામેલ બે વર્ષના માસૂમ બાળકનું મોત ટંકારાના હડમતીયા ગામે નજીવી વાતમાં એક જ પરિવારના લોકો વચ્ચે મારામારી: બાળક, મહિલા સહિત 10 ને ઇજા મોરબીના નાની વાવડી ગામે કલેક્ટરે બાળકોની આંગળી પકડીને કરાવ્યો શાળા પ્રવેશ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ: મોરબીની રામકૃષ્ણ, જ્ઞાન જ્યોતિ અને એન.જી. વિદ્યાલયમાં ૪૧૫ બાળકોને પ્રવેશ મોરબી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ૧૧ વર્ષ પુર્ણ થતા લાલપર ગામે આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પ યોજાયો મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા યોગ સ્પર્ધા યોજાઇ: વિજેતાઓને અપાયા પુરસ્કાર મોરબીમાં આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિકનું કાલે ઉદ્ઘાટન મોરબીમાં વી.સી. હાઈસ્કૂલ પાસેથી સગીરાનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ૪૬૫ ખેડૂત ભાઈઓ-બહેનોએ પ્રાકૃતિક કૃષિની માહિતી-માર્ગદર્શન મેળવ્યું


SHARE















મોરબી જીલ્લામાં ૪૬૫ ખેડૂત ભાઈઓ-બહેનોએ પ્રાકૃતિક કૃષિની માહિતી-માર્ગદર્શન મેળવ્યું

વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત મોરબીમાં અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગત ૧૪ ઓક્ટોબર ના રોજ જિલ્લાના તમામ પાંચ તાલુકાઓમાં પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ અને પ્રવાસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું

આપણે સૌ જાણીએ છીએ કે, પ્રાકૃતિક કૃષિ એટલે ઝેરમુક્ત કૃષિ, પ્રાકૃતિક કૃષિ એટલે માનવજીવન માટે આશિર્વાદ સમી કૃષિ. આજના સમયમાં પ્રાકૃતિક કૃષિ એ તાતી જરૂરિયાત છે, ત્યારે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેકટ મોરબી દ્વારા મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં પ્રાકૃતિક કૃષિ વિષે તાલીમ અને મોડલ ફાર્મની મુલાકાત કરાવી પ્રાકૃતિક કૃષિ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ તાલીમ અને મોડેલ ફાર્મની મુલાકાત દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનાં ફાયદાઓ વિષે ઊંડાણ પૂર્વક માહિતી આપવામાં આવી હતી. પ્રાકૃતિક કૃષિ ગાય આધારિત ખેતી હોવાથી ખેડૂતો ગાયનું પાલન પોષણ કરી શકે છે, સાથે આપના પરિવારને ગાયનું દૂધ મળે છે અને ગૌમૂત્રનો ઉપયોગ પ્રાકૃતિક કૃષિમાં કરીને ઘણો બધો ખેતી ખર્ચની બચત કરી શકાય છે આમ અનેક ફાયદાઓ ખેડૂતોને સમજાવવામાં આવ્યા હતા. મોરબી જિલ્લામાં વધારે માં વધારે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે પ્રગતિશિલ ખેડૂતોના ફાર્મ પર મુલાકાત કરાવવામાં આવી હતી.






Latest News