મોરબી જીલ્લામાં ૪૬૫ ખેડૂત ભાઈઓ-બહેનોએ પ્રાકૃતિક કૃષિની માહિતી-માર્ગદર્શન મેળવ્યું
મોરબીની સરકારી શાળાઓમાં લખપતિ દીદીઓ દ્વારા લખપતિ દીદી યોજના વિશે બાળકોને માહિતી અપાઈ
SHARE








મોરબીની સરકારી શાળાઓમાં લખપતિ દીદીઓ દ્વારા લખપતિ દીદી યોજના વિશે બાળકોને માહિતી અપાઈ
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના માર્ગદર્શન અનુસાર મોરબી જિલ્લાની 25 ગામોની સરકારી શાળાઓમાં લખપતિ દીદી સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાજર 25 લખપતિ દીદીઓ દ્વારા લખપતિ દીદી યોજના વિશે સર્વે બાળકોને માહિતી આપવામાં આવી હતી. આ સંવાદ સત્ર દરમિયાન સંલગ્ન શાળાઓના આચાર્યઓ, શિક્ષક મિત્રો તેમજ બહોળી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા માહિતી કચેરી મોરબી દ્વારા રાજ્ય સરકાર દ્વારા વખતો- વખત પ્રકાશિત થતા લોકકલ્યાણલક્ષી અને લોકોપયોગી પુસ્તકોનું વિતરણ અને નિઃશુલ્ક સાહિત્ય વિતરણ કરવામાં આવતું હોય છે. વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મોરબીમાં યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ ખાતે જિલ્લાકક્ષાની પશુપાલન શિબિર યોજાઈ હતી. આ કાર્યક્રમમાં ૨૩ વર્ષ સફળ, સબળ અને સમર્થ નેતૃત્વના અને સુરક્ષિત મહિલા અને બાળ ઉજ્જવળ ગુજરાતની આવતીકાલ આ બંને પુસ્તિકાની ઉપસ્થિત સર્વે પશુપાલક લાભાર્થીઓમાં વહેંચણી કરવામાં આવી હતી.

