મોરબી નજીક સર્જાયેલ અકસ્માતમાં ગંભીર ઇજા પામેલ બે વર્ષના માસૂમ બાળકનું મોત ટંકારાના હડમતીયા ગામે નજીવી વાતમાં એક જ પરિવારના લોકો વચ્ચે મારામારી: બાળક, મહિલા સહિત 10 ને ઇજા મોરબીના નાની વાવડી ગામે કલેક્ટરે બાળકોની આંગળી પકડીને કરાવ્યો શાળા પ્રવેશ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ: મોરબીની રામકૃષ્ણ, જ્ઞાન જ્યોતિ અને એન.જી. વિદ્યાલયમાં ૪૧૫ બાળકોને પ્રવેશ મોરબી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ૧૧ વર્ષ પુર્ણ થતા લાલપર ગામે આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પ યોજાયો મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા યોગ સ્પર્ધા યોજાઇ: વિજેતાઓને અપાયા પુરસ્કાર મોરબીમાં આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિકનું કાલે ઉદ્ઘાટન મોરબીમાં વી.સી. હાઈસ્કૂલ પાસેથી સગીરાનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં ઊચાઇએથી નીચે પડતાં યુવાનનું મોત


SHARE















મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં ઊચાઇએથી નીચે પડતાં યુવાનનું મોત

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસે કારખાનાના લેબર કવાર્ટરમાં પહેલા માળ ઉપરથી યુવાને નીચે પટકાયો હતો જેથી તેને શરીરે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ઊંચી માંડલ ગામ પાસે આવેલ ઓરિન્ડા સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો જગદીશસિંગ શત્રુગનસિંગ (24) નામનો યુવાન કારખાનામાં આવેલ લેબર કોલોનીમાં પહેલા માળે હતો ત્યારે કોઈ કારણોસર તે ઉપરથી નીચે પટકાયો હતો જેથી કરીને આ યુવાનને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તે મૃતક યુવાનના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.પી. પટેલ દ્વારા કરવામાં આવી હતી.

ફિનાઇલ પી લેતા સારવારમાં
મોરબીના સામાકાંઠે માળિયા વનાળીયા સોસાયટી ખાતે ભરતભાઈ બચુભાઈ ચાવડા (૪૮) અને આયુષ ભરતભાઈ ચાવડા (૧૪) ફીનાઇલ પી જતા સારવાર માટે સિવિલે લવાયા હતા.ફૈબાના દીકરા સાથે શેરીમાં લારી રાખવા બાબતની માથાકૂટનું લાગી આવતા તેઓએ ફિનાઈલ પી લીધું હતું તેમ બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડાએ જણાવેલ છે.જ્યારે હળવદના રાતાભેર (ડુંગરપુર) ગામે રહેતા બળદેવ જગદીશભાઈ કુકવા નામના યુવાનને ઢોર ચરાવતા સમયે અજાણ્યા ઇસમ દ્વારા માર મારવામાં આવતા વધુ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.

મહિલા સારવારમાં
મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખાતે રહેતા સોનલબેન પ્રકાશભાઈ ગોલતર નામની ૩૪ વર્ષીય મહિલા તા.૧૩ ના બપોરના બારેક વાગ્યે મોટરસાયકલમાં જતા હતા ત્યારે ત્યાં ત્રાજપર ગામે શિવ મંદિર પાસે બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઈજા પામતા સારવાર માટે ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે આવેલ કાંતિનગર વિસ્તારમાં બનેલ મારામારીની ઘટનામાં ઇજાઓ થતા મોહસીન રજાકભાઈ નામના ૧૫ વર્ષના સગીરને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલે લાવવામાં આવ્યો હતો.બંને બનાવો અંગે નોંધ કરીને બી ડિવિઝન પોલીસ મથકના વી.કે.ચાવડા આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News