મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી  મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની સાથે ઝઘડો થયા બાદ ગામડે આવેલ મકાને જઈને યુવાને ન કરવાનું કરી નાખ્યું


SHARE













મોરબીમાં પત્ની સાથે ઝઘડો થયા બાદ ગામડે આવેલ મકાને જઈને યુવાને ન કરવાનું કરી નાખ્યું

મોરબીના નાનીવાવડી ગામે રહેતા યુવાનને તેના પત્ની સાથે બોલાચલી અને ઝઘડો થયો હતો ત્યારબાદ તેણે ખેવારીયા ગામે આવેલા પોતાના બીજા મકાને જઈને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાનીવાવડી ગામે રહેતા વિનોદભાઈ કરસનભાઈ શેરસીયા (40) નામના યુવાને તેનું ખેવારીયા ગામે મકાન આવેલ છે તે મકાનને જઈને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગાહી કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવેલ હોય તેઓની પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાનને તેના પત્ની સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારબાદ તેણે ખેવારીયા ગામે જઈને મકાને ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે તેવું મૃતકના પરિવારજનો પાસેથી જાણવા મળ્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીમાં શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં રિક્ષાવાળા દ્વારા માર મારવામાં આવતા પદમભાઇ પ્રેમબહાદુરભાઈ (ઉંમર ૩૦) રહે.ઉમિયા ચોક પાસે ને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબી-કંડલા બાયપાસ ઉપર આવેલ દલવાડી સર્કલ નજીક રહેતા વિક્રમભાઈ પુનિયાભાઈ રાણા નામના ૪૧ વર્ષીય યુવાનને દલવાડી સર્કલ નજીક બોલાચાલી બાદ મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે ખસેડાયો હતો.

મહિલા સારવારમાં
મોરબીના વાંકડા ગામે રહેતા લાભુબેન ગોરધનભાઈ કૈલા નામના ૬૦ વર્ષીય મહિલા બાઇકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે જેતપર રોડ ઉપર બેલા અને રંગપર વચ્ચે બાઈકના પાછળના ભાગેથી પડી જતા માથામાં ઇજા થતાં ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલ ટીંબડી ગામે રહેતા મિતલબેન વિજયભાઈ સિચણાદા નામની સાત વર્ષની બાળકી તેના પિતા સાથે બાઈકમાં પાછળ બેસીને જતી હતી.ત્યારે ટીંબડી ગામે આવેલા હનુમાન મંદિર પાસે અચાનક બ્રેક મારતા તે બાઇકમાં પાછળથી નીચે પડી જતા ઈજા પામતા તેને પણ ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવી હતી.




Latest News