મોરબીમાં એપાર્ટમેન્ટ-ઓફિસમાં જુગારની બે રેડ: પાંચ મહિલા સહિત 22 લોકો જુગાર રમતા પકડાયા, 2.07 લાખની રોકડ કબ્જે મોરબીમાં 550થી વધુ બાળકોને બટુક ભોજન કરાવીને જન્મ દિવસની ઉજવણી કરતાં બાબુભાઇ પરમાર મોરબીમાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી કોના આદેશ કે પરિપત્રથી કરવામાં આવેલ છે ?: કલેક્ટર પાસે જવાબ માંગતા કોંગ્રેસનાં પ્રમુખ મોરબીમાં પાણી સપ્લાઈ માટેના બે પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો મોરબી જિલ્લામાં ઈન્ટરનેશનલ ડે અગેઈન્ટસ ડ્રગ્સ અબ્યુસ એન્ડ ઈલ્લીકીટ ટ્રાફીકીંગ દિવસની ઉજવણી કરાઈ વાંકાનેરના સરતાનપર પાસે ટ્રક હડફેટ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબીમાં ટ્રાફિક નિયમન માટે વન-વે જાહેરનામું પ્રસિદ્ધ મોરબીના વેપારી યુવાન સાથે 1.51 કરોડના ફ્રોડના ગુનામાં દહેરાદુન-દિલ્હીથી વધુ ત્રણ આરોપીને પકડીને રિમાન્ડ ઉપર લેવાયા
Breaking news
Morbi Today

ગાય, માતા, પિતા અને ઓમકારમાં જે શ્રદ્ધા રાખે તે હિન્દુ, ગાયોની સેવા એ હિન્દુનો પ્રથમ ધર્મ: સદાનંદજી સરસ્વતી મહારાજ


SHARE















ગાયમાતાપિતા અને ઓમકારમાં જે શ્રદ્ધા રાખે તે હિન્દુ, ગાયોની સેવા એ હિન્દુનો પ્રથમ ધર્મ: સદાનંદજી સરસ્વતી મહારાજ

મોરબીના મકનસર પાસે પાંજરાપોળ ખાતે જગતગુરુ શંકરાચાર્ય શારદાપીઠના પીઠાધીશ્વર સદાનંદજી સરસ્વતી મહારાજની હાજરીમાં ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે ધર્મ સભા શરૂ થતાની સાથે જ વરસાદ શરૂ થયો હતો જેથી જગતગુરુ શંકરાચાર્યએ ફરીથી આ જગ્યા ઉપર તેઓ આવશે અને ધર્મ સભા કરશે તેવી જાહેરાત કરી હતી અને હિન્દુઓનો પહેલો ધર્મ ગૌરક્ષા છે અને ગાયોની રક્ષા કરે તે કદી દુઃખી થતા નથી તેવું પણ તેમણે કહ્યું હતું અને ખાસ કરીને વર્ષોથી ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવા માટે થઈને સાધુ સંતો અને હિન્દુઓ માંગણી કરી રહ્યા છે ત્યારે જો દેશમાં ટાઇગર અને હરણ માટે કેમ્પેન થઇ શકે છે તો કેન્દ્ર સરકારે ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવી જ જોઇએ.

મોરબીમાં પાંજરાપોળ છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે અને તેમાં આજની તારીખે 5,200 કરતાં વધુ ગૌવંશોનો નિભાવ કરવામાં આવી રહ્યો છે અને તેના માટે થઈને રજવાડાના સમયમાં જે જમીન આપવામાં આવી હતી તે જમીને ફળદ્રુપ બનાવીને આજની તારીખે તેમાંથી લગભગ 40 થી 45% જેટલો ઘાસચારો મેળવવામાં આવે છે તે ઉપરાંત મોરબીના સિરામિક ઉદ્યોગકારો સહિતના નાના-મોટા સૌ કોઈ લોકો દ્વારા પાંજરાપોળના ગૌ સેવાના કામ માટે વર્ષે લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાનું દાન આપવામાં આવે છે જેથી કરીને આજની તારીખે મોરબીની પાંજરાપોળ સમગ્ર ગુજરાતમાં નંબર વન કહી શકાય તેવી પાંજરાપોળ છે તેવામાં મોરબીના મચ્છુ બે ડેમ પાસે પાંજરાપોળની 1,100 વીઘા જેટલી જમીન આવેલ છે ત્યાં બે લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવાનું છે અને તે કામનું ખાતમહુર્ત ગઇકાલે જગતગુરુ શંકરાચાર્ય શારદાપીઠના પીઠાધીશ્વર સદાનંદજી સરસ્વતી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું અને તેઓના હસ્તે ત્યાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ મોરબીના મકનસર ગામ નજીક સરતાનપર રોડ ઉપર આવેલ પાંજરાપોળ ખાતે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં મોરબીના સિરામિક ઉદ્યોગકારો સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર હતા જોકે ધર્મ સભા શરૂ થાય ત્યારે પહેલા જ ત્યાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો જેથી કરીને જગતગુરુ શંકરાચાર્યના પાદુકા પૂજનનો કાર્યક્રમ પાંજરાપોળના તમામ ટ્રષ્ટીઓની હાજરીમાં કરવામાં આવેલ હતો અને ત્યારબાદ હાજર રહેલા લોકોને વરસતા વરસાદે જગતગુરુ શંકરાચાર્ય સદાનંદજી સરસ્વતી મહારાજે સંબોધન કરતા કહ્યું હતું કે, ગૌ સેવાના કાર્યમાં જે કોઈ વ્યક્તિ સહકાર આપે તે ક્યારેય દુઃખી થતા નથી અને ગાયમાતાપિતા અને ઓમકારમાં જે શ્રદ્ધા રાખે તે હિન્દુ છે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી અને ગાયોની સેવા એ હિન્દુનો પ્રથમ ધર્મ છે.

હાલમાં પાંજરાપોળમાં ટ્રસ્ટીઓ દ્વારા જે રીતે ગૌ સેવા કરવામાં આવી રહી છે અને તે કામમાં ઉદ્યોગકારો પણ સહકાર આપી રહ્યા છે ત્યારે તેઓની આ ઉમદા કામગીરી જોઈને તેઓ પ્રસન્ન થયા હતા અને દ્વારિકાધીશના આશીર્વાદ આપ્યા હતા અંતમાં તેઓએ એવું પણ કહ્યું હતું કે આજે વરસાદ હોવાથી ધર્મ સભા થઇ શકી નથી પરંતુ આ જ જગ્યાએ આગામી સમયમાં બીજી વખત ધર્મ સભા કરવા માટે તેઓ આવશે અને ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ વિષે પુછતા જગતગુરુ શંકરાચાર્યએ કહ્યુ હતુ કેજો દેશમાં ટાઇગર અને હરણ માટે કેમ્પેન થઇ શકે છે તો કેન્દ્ર સરકારે ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવી જ જોઇએ. કેમ કે1966 થી સાધુ સંતો અને હિન્દુઓ દ્વારા ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ કરવમાં આવી રહી છે જેથે કેન્દ્ર સરકારે ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવી જોઇએ. તેવી લાગણી વ્યક્ત કરી હતી.

આ તકે ભણદેવજી મહારાજ, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલામોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાવાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીમોરબી જિલ્લા ભાજપના મહામંત્રી કે.એસ.અમૃતિયા અને જેઠાભાઇ મિયાત્રા, મોરબી પાંજરાપોળના ટ્રસ્ટી વેલજીભાઇ પટેલ, હિતેશભાઇ ભાવસાર, જેયશભાઇ  સહિતના તમામ ટ્રસ્ટીઓ તેમજ મોરબી સિરામિક એસો.ના પ્રમુખ હરેશભાઇ બોપલીયાવિનોદભાઇ ભાડજા તેમજ હિતેશભાઇ ઉઘરેજા, જયદીપભાઈ વાંસદીયા, સાવજીભાઇ બારૈયા સહિત ઉધોગકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ ઉપરાંત મેઘરાજસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ ઝાલા, જયોતિસિંહ જાડેજા, જયવંતસિંહ જાડેજા, સુરેશભાઇ સીરોહિયા, ગિરિરાજસિંહ જાડેજા સહિતના ભાજપના હોદેદારો અને ગો ભક્તો હાજર રહ્યા હતા






Latest News