મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપે પથરણા વાળા પાસેથી દિવડાની ખરીદી કરી સામાન્ય વર્ગની દિવાળી દીપાવી


SHARE













મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપે પથરણા વાળા પાસેથી દિવડાની ખરીદી કરી સામાન્ય વર્ગની દિવાળી દીપાવી

દિવાળી એટલે રોશનીનો તહેવાર કહેવામા આવે છે ત્યારે નાના લોકોની દિવાળી પણ દીપી ઊઠે તેવી ભાવના સાથે મોટા શોરૂમ, શોપિંગ મોલમાં ખરીદી કરવાના બદલે શહેરમાં ઠેક ઠેકાણે પાથરાણા કે રેકડી-કેબિનમાં વિવિધ ચીજવસ્તુઓ રાખીને વેચાણ કરતાં સામાન્ય વર્ગના ધંધાર્થીઓ પાસેથી માલની ખરીદી મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યો દ્વારા કરવામાં આવી હતી અને નાના માણસોની દિવાળીને દીપાવવા માટેનો પ્રયાસ કર્યો હતો.

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દિવાળી નિમિતે સામાન્ય વર્ગના વેપારીઓના મનમાં પણ દિવાળીની રોનક ખીલવવાનો સકારાત્મક પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં દિવાળી નિમિતે શહેરના નહેરુ ગેઇટ સહિતના બજાર વિસ્તારમાં ઘણા સામાન્ય માણસો પાથરાણા પથારીને દિવડા-કોડિયા, ફુલહાર તોરણ, ઘર સુશોભનની સહિતની અનેક નાની-મોટી ચીજવસ્તુઓનો વેપાર કરે છે.તેમજ અમુક સામાન્ય વર્ગના લોકો રેકડી કે કેબિનમાં આવી વસ્તુઓ વેચે છે. ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપના તમામ સભ્યોએ પોતાના પરિવાર માટે કોઈ શોપિંગ મોલ કે મોટા શો રૂમમાંથી ખરીદી કરવાને બદલે પાથરાણાવાળા પાસેથી દિવાળીનું શોપિંગ કર્યું હતું. આ બાબતે યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યુ હતું કે, શોપિંગ મોલ અને મોટી દુકાનોમાં ખરીદી કરવાની સાથે આ નાના લોકો પાસેથી પણ ખરીદી કરીને તેમને સ્વનિર્ભર બનાવની તક આપવા માટે આ અભિયાન શરૂ કર્યું છે. આ દિવાળીએ દરેક લોકો નાના વર્ગના ધંધાર્થીઓ પાસેથી દિવાળીના દિવડા સહિતની જરૂરી શોપિંગ કરે તેવો પણ અનુરોધ કરેલ છે.








Latest News