ગુજરાતમાં ખેડૂત આંદોલનમાં લાઠીચાર્જ થશે તો તેના પડઘા પંજાબ, હરિયાણા અને યુપી પડશે: ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકેતનું મોરબીમાં એલાn મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપે પથરણા વાળા પાસેથી દિવડાની ખરીદી કરી સામાન્ય વર્ગની દિવાળી દીપાવી


SHARE







મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપે પથરણા વાળા પાસેથી દિવડાની ખરીદી કરી સામાન્ય વર્ગની દિવાળી દીપાવી

દિવાળી એટલે રોશનીનો તહેવાર કહેવામા આવે છે ત્યારે નાના લોકોની દિવાળી પણ દીપી ઊઠે તેવી ભાવના સાથે મોટા શોરૂમ, શોપિંગ મોલમાં ખરીદી કરવાના બદલે શહેરમાં ઠેક ઠેકાણે પાથરાણા કે રેકડી-કેબિનમાં વિવિધ ચીજવસ્તુઓ રાખીને વેચાણ કરતાં સામાન્ય વર્ગના ધંધાર્થીઓ પાસેથી માલની ખરીદી મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યો દ્વારા કરવામાં આવી હતી અને નાના માણસોની દિવાળીને દીપાવવા માટેનો પ્રયાસ કર્યો હતો.

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દિવાળી નિમિતે સામાન્ય વર્ગના વેપારીઓના મનમાં પણ દિવાળીની રોનક ખીલવવાનો સકારાત્મક પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં દિવાળી નિમિતે શહેરના નહેરુ ગેઇટ સહિતના બજાર વિસ્તારમાં ઘણા સામાન્ય માણસો પાથરાણા પથારીને દિવડા-કોડિયા, ફુલહાર તોરણ, ઘર સુશોભનની સહિતની અનેક નાની-મોટી ચીજવસ્તુઓનો વેપાર કરે છે.તેમજ અમુક સામાન્ય વર્ગના લોકો રેકડી કે કેબિનમાં આવી વસ્તુઓ વેચે છે. ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપના તમામ સભ્યોએ પોતાના પરિવાર માટે કોઈ શોપિંગ મોલ કે મોટા શો રૂમમાંથી ખરીદી કરવાને બદલે પાથરાણાવાળા પાસેથી દિવાળીનું શોપિંગ કર્યું હતું. આ બાબતે યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યુ હતું કે, શોપિંગ મોલ અને મોટી દુકાનોમાં ખરીદી કરવાની સાથે આ નાના લોકો પાસેથી પણ ખરીદી કરીને તેમને સ્વનિર્ભર બનાવની તક આપવા માટે આ અભિયાન શરૂ કર્યું છે. આ દિવાળીએ દરેક લોકો નાના વર્ગના ધંધાર્થીઓ પાસેથી દિવાળીના દિવડા સહિતની જરૂરી શોપિંગ કરે તેવો પણ અનુરોધ કરેલ છે.






Latest News