ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ખેડૂતોને પણ સહકારી બેંક આપશે વ્યાજ વગરની લોન: ખેડૂતો ખુશખુશાલ


SHARE













મોરબી જિલ્લાના ખેડૂતોને પણ સહકારી બેંક આપશે વ્યાજ વગરની લોન: ખેડૂતો ખુશખુશાલ

મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે વરસાદના લીધે ખેડૂતોને મોટું નુકશાન થયેલ છે અને સરકારી સહાયની રાહ જોઈને ખેડૂતો બેઠા છે તેવા સમયે રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા રાજકોટ અને મોરબીના ખેડૂતોને લોન આપવા માટેની જાહેરાત કરવામાં આવી છે જેથી કરીને મોરબી જિલ્લાના ખેડૂતોમાં હર્ષની લાગણી છે

રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂતો માટે સહકારી બેંક દ્રારા ૧ હજાર કરોડ લોન સહાયની જાહેરાત કરવામાં આવી છે અને આ લોન ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ૧ વર્ષ માટે આપવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. જેથી કરીને આ બંને જિલ્લાના ખેડૂતોને વધારેમાં વધારે ૫૦ હજાર રૂપિયાની લોન મળશે. ત્યારે ચાલુ વર્ષે વધુ વરસાદના લીધે ખેડૂતોને મોટું નુકશાન થયેલ  છે તેવાં સમયે બેન્કના 2 લાખથી વધુ સભા સદોને મદદરૂપ થવાની ભાવના સાથે જયેશભાઇ રાદડિયા દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેને મોરબી જિલ્લાના ખેડૂતોએ આવકારી છે અને ખેડૂતો માટે આશીર્વાદ સમાન ગણાવી છે. ખાસ કરીને આ લોન લેવા માટે ખેડૂતોએ કોઇ જ પ્રકારની જામીન આપવાની રહેશે નહિ અને ખેડૂતોને ઝીરો ટકાથી લોન આપવાની છે જેથી ખેડૂતોને ફાયદો થશે.






Latest News