મોરબીની સબ જેલમા રંગોળી કરી કૈદીઓએ નવા વર્ષને આવકાર્યુ
SHARE
મોરબીની સબ જેલમા રંગોળી કરી કૈદીઓએ નવા વર્ષને આવકાર્યુ
“૭૫મી આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત મોરબી સિવિલ હોસ્પિટલના ડો.શ્રી દુધરેજીયા સાહેબના માર્ગદર્શન હેઠળ ડો.શ્રી મોનીકાબેન જાની તેમજ સ્ટાફ નર્સ અલ્કાબેન જોશી તથા મોરબી સબ જેલના અધિક્ષકશ્રી એલ.વી.પરમારનાઓ સાથે જેલ સ્ટાફ દ્રારા મોરબી સબ જેલ ખાતે “ ઓરલ કેન્સર તેમજ જનરલ ઓરલ હેલ્થ ચેક-અપ કેમ્પ”નું આયોજન કરી જેલમાં રહેલા બંદિવાનોની તપાસ કરીને તેમને જરુરી સુચનાઓ તેમજ વ્યસન મુક્તિ માટે સમજણ આપવામા આપી હતી.
તેમજ “૭૫મી આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત મોરબી સબ જેલમાં રહેલા બંદિવાનો દ્રારા “Happy Diwali, happy New Year” Welcome 2021 તેમજ ૭૫ આઝાદીકા અંમુત મહોત્સવ” જેવા ચિત્રલેખાના દ્રશ્યો દોરી અધિક્ષકશ્રી એલ.વી.પરમારનાઓ સાથે જેલ સ્ટાફ દ્રારા જેલમાં રહેલા બંદિવાનોને જુના વર્ષને વિદાય આપો અને આશા,સપના અને મહત્વાકાંક્ષાથી નવા વર્ષને સ્વીકારો તેમજ બંદિવાનોમાં ભાઇચારાની ભાવના રહે તેવા વિચારો વ્યક્ત કરી બંદિવાનો તેઓના પરિવાર સાથે જેલ મુક્ત થઇ આવતા વર્ષ એક નવી જીદંગીનો આરંભ કરે તેવી શુભ કામનાઓ પાઠવવામાં આવેલ છે.