મોરબી જલારામ ધામ-જલારામ સેવા મંડળ દ્વારા ત્રિવેણી સંગમ ખાતે ૨૮૫ દીવંગતોનુ અસ્થિઓનું સામૂહિક વિસર્જન કરાયું મોરબીમાં ઘરમાં જુગાર રમતા 7 શખ્સોની 25,500 ની રોકડ સાથે ધરપકડ માળીયા (મી)ના મોટા દહીસરા ગામનો બનાવ: કૌટુંબિક ભાઈએ પ્રેમલગ્ન કરતાં યુવતીના પિતા સહિત 8 શખ્સોએ યુવાનનું અપહરણ કરીને માર માર્યો મોરબીમાં જૂના મનદુખનો ખાર રાખીને દંપતીને ચાર મહિલા સહિત કુલ 5 લોકોએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઇકો ગાડીનો ઓવરટેક કરવાની વાતનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુ-પાઇપ વડે માર માર્યો મોરબીમાં રહેતા મુમુક્ષુ વિધીબેન મહેતાનો ગૃહ ત્યાગ: 1 ફેબ્રુઆરીએ દીક્ષા અંગીકાર કરશે ટંકારાના ગણેશપર ગામે પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો, સ્કૂલબેગનું વિતરણ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ: તેજસ્વી વિધાર્થીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેરના પાડધરા પાસે બેલાની ખાણમાં ઊંચાઈ ઉપરથી નીચે પડી જતા આધેડનું મોત


SHARE











વાંકાનેર તાલુકાના પાડધરા ગામે આદર્શ પટેલની બેલાની ખાણમાં ઊંચાઈ ઉપરથી નીચે પાણી ભરેલ ખાડામાં પડતા આધેડનું મોત નિપજ્યુ હતુ જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના પાડધરા ગામે રહેતા બાધાભાઈ જાદુભાઈ ડૈણીયા (50) નામના આધેડ પાડધરા ગામ નજીક આવેલ આદર્શ પટેલની બેલાની ખાણમાં અકસ્માતે ઊંચાઈ ઉપરથી નીચે પાણી ભરેલા ખાડામાં પડી ગયા હતા જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે તથા માથામાં અને શરીરે ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જેથી બાધાભાઈ ડૈણીયાના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની ઘનશ્યામભાઈ ડૈણીયા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્મૃતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News