મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે-2025 ઉજવાયો મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનો દ્વારા નિરાધાર લોકોને કરાયું ધાબળાનું વિતરણ મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શાંતિનું દાન વાંકાનેર તાલુકામાં કારખાનાના ક્વાર્ટરમાંથી 29 બોટલ દારૂ-144 બીયરના ટીન સાથે એક આરોપી પકડાયો મોરબી: મચ્છુકાંઠા યુવા સંગઠન દ્વારા ચેસ અને ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીના શહીદ થયેલા ગણેશભાઈના પરિજનોને જિલ્લા પંચાયતનો ૧ લાખનો આર્થિક સહયોગ મોરબીના જુના ઘુંટુ રોડે સેન્ટ્રો ગાડી ઉપર માલ ભરેલું કન્ટેનર ટ્રકમાંથી પલટી મારી જતા દંપતીનું મોત, બે વ્યક્તિને ઈજા
Breaking news
Morbi Today

મોરબી સબ જેલમાંથી મળ્યા 40 માવા !: જેલરની બદલી


SHARE











મોરબી સબ જેલમાંથી મળ્યા 40 માવા !: જેલરની બદલી

મોરબીમાં આવેલ સબ જેલમાં જેલ આઈજી સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ત્યારે ત્યાંથી 40 માવા મળી આવ્યા હતા જેથી કરીને હાલમાં મોરબીની સબ જેલના જેલરની બદલી કરવામાં આવેલ છે અને નવા જેલર તરીકે એચ.એ.બાબરીયાને મૂકવામાં આવેલ છે.

ગુજરાતની જુદીજુદી જેલોમાં કેદીઓને ઘણી બધી સુવિધાઓ પ્રતિબંધિત વિસ્તાર હોવા છતાં પણ આપવામાં આવતી હોય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. તેવામાં મોરબી સબ જેલમાં રાખવામા આવેલ કેદીઓને પણ સુવિધાઓ મળતી હોવાનું સામે આવ્યું છે જે અંગેની મળતી માહિતી મુજબ મોરબી સબ જેલમાં મળતી સુવિધાઓની ઉચ્ચ અધિકારી સુધી ફરિયાદ પહોચી હતી ત્યાર બાદ જેલ આઈજી સ્ક્વોડ દ્વારા મોરબીની સબ જેલમાં તપાસ કરવામાં આવી હતી. ત્યારે સબ જેલમાંથી 40 માવા મળી આવ્યા હતા જેથી કરીને મોરબી સબ જેલના જેલર સુજાનસિંહ ચુડાસમાની તાત્કાલિક બદલી કરાઇ છે અને હાલમાં રાજપીપળાથી એચ.એ.બાબરીયાને મોરબીની સબ જેલના નવા જેલર તરીકે મૂકવામાં આવેલ છે.






Latest News