મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબી સબ જેલમાંથી મળ્યા 40 માવા !: જેલરની બદલી


SHARE













મોરબી સબ જેલમાંથી મળ્યા 40 માવા !: જેલરની બદલી

મોરબીમાં આવેલ સબ જેલમાં જેલ આઈજી સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ત્યારે ત્યાંથી 40 માવા મળી આવ્યા હતા જેથી કરીને હાલમાં મોરબીની સબ જેલના જેલરની બદલી કરવામાં આવેલ છે અને નવા જેલર તરીકે એચ.એ.બાબરીયાને મૂકવામાં આવેલ છે.

ગુજરાતની જુદીજુદી જેલોમાં કેદીઓને ઘણી બધી સુવિધાઓ પ્રતિબંધિત વિસ્તાર હોવા છતાં પણ આપવામાં આવતી હોય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. તેવામાં મોરબી સબ જેલમાં રાખવામા આવેલ કેદીઓને પણ સુવિધાઓ મળતી હોવાનું સામે આવ્યું છે જે અંગેની મળતી માહિતી મુજબ મોરબી સબ જેલમાં મળતી સુવિધાઓની ઉચ્ચ અધિકારી સુધી ફરિયાદ પહોચી હતી ત્યાર બાદ જેલ આઈજી સ્ક્વોડ દ્વારા મોરબીની સબ જેલમાં તપાસ કરવામાં આવી હતી. ત્યારે સબ જેલમાંથી 40 માવા મળી આવ્યા હતા જેથી કરીને મોરબી સબ જેલના જેલર સુજાનસિંહ ચુડાસમાની તાત્કાલિક બદલી કરાઇ છે અને હાલમાં રાજપીપળાથી એચ.એ.બાબરીયાને મોરબીની સબ જેલના નવા જેલર તરીકે મૂકવામાં આવેલ છે.






Latest News