મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી સબ જેલમાંથી મળ્યા 40 માવા !: જેલરની બદલી


SHARE







મોરબી સબ જેલમાંથી મળ્યા 40 માવા !: જેલરની બદલી

મોરબીમાં આવેલ સબ જેલમાં જેલ આઈજી સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ત્યારે ત્યાંથી 40 માવા મળી આવ્યા હતા જેથી કરીને હાલમાં મોરબીની સબ જેલના જેલરની બદલી કરવામાં આવેલ છે અને નવા જેલર તરીકે એચ.એ.બાબરીયાને મૂકવામાં આવેલ છે.

ગુજરાતની જુદીજુદી જેલોમાં કેદીઓને ઘણી બધી સુવિધાઓ પ્રતિબંધિત વિસ્તાર હોવા છતાં પણ આપવામાં આવતી હોય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. તેવામાં મોરબી સબ જેલમાં રાખવામા આવેલ કેદીઓને પણ સુવિધાઓ મળતી હોવાનું સામે આવ્યું છે જે અંગેની મળતી માહિતી મુજબ મોરબી સબ જેલમાં મળતી સુવિધાઓની ઉચ્ચ અધિકારી સુધી ફરિયાદ પહોચી હતી ત્યાર બાદ જેલ આઈજી સ્ક્વોડ દ્વારા મોરબીની સબ જેલમાં તપાસ કરવામાં આવી હતી. ત્યારે સબ જેલમાંથી 40 માવા મળી આવ્યા હતા જેથી કરીને મોરબી સબ જેલના જેલર સુજાનસિંહ ચુડાસમાની તાત્કાલિક બદલી કરાઇ છે અને હાલમાં રાજપીપળાથી એચ.એ.બાબરીયાને મોરબીની સબ જેલના નવા જેલર તરીકે મૂકવામાં આવેલ છે.






Latest News