વાંકાનેર તાલુકામાં પીપળીયા રાજ-અમરસર ગામમાં સરકારી યોજનાઓની જનજાગૃતિ માટે લોકડાયરો યોજાયો
મોરબી જિલ્લામાં અનુ. જનજાતિ અને અનુ. જાતિના લાભાર્થીઓ મરઘાં પાલન તાલીમ યોજનાનો લાભ મેળવી શકશે
SHARE








મોરબી જિલ્લામાં અનુ. જનજાતિ અને અનુ. જાતિના લાભાર્થીઓ મરઘાં પાલન તાલીમ યોજનાનો લાભ મેળવી શકશે
મોરબી જિલ્લામાં અનુસુચિત જનજાતિ અને અનુસુચિત જાતિના લાભાર્થીઓ માટે મરઘાં પાલન તાલીમ અંતર્ગત લાભ મેળવવા માટે સ્ટાઈપેંડ પેટે રૂપિયા ૨૦૦૦ ની સહાય આપવાની યોજના અમલમાં છે. તે માટે ઇચ્છુક અરજદારે આઈ ખેડૂત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/iKhedutPublicScheme/Public/frm_Public_GhataksWithGroupAndMainScheme.aspx આ લિંક પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
આ ઘટક અંતર્ગત પુનઃ લાભ મેળવવાની ઓછામાં ઓછી સમય મર્યાદા ૦૩ વર્ષ જેટલી રાખવામાં આવી છે. આગામી તારીખ ૩૧/૧૨/૨૦૨૪ સુધી આ વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી તાત્કાલિક ધોરણે કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરતી વખતે બારકોડેડ રેશનકાર્ડ, બેન્કના બચત ખાતાની પાસબુક અથવા રદ કરાયેલો ચેક, મરઘાં પાલન તાલીમનું પ્રમાણપત્ર, સરકાર માન્ય ફોટાવાળું ઓળખપત્ર, સક્ષમ અધિકારીશ્રી દ્વારા પ્રમાણિત કરાયેલ જાતિના દાખલાની નકલ સાથે જોડવાની રહેશે. તેમજ જો દિવ્યાંગ કેટેગરીના લાભાર્થી હોય તો સક્ષમ અધિકારીશ્રી દ્વારા પ્રમાણિત કરાયેલ દિવ્યાંગ હોવા અંગેના પ્રમાણપત્રની નકલ સાથે જોડવાની રહેશે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે નાયબ પશુપાલન નિયામકશ્રીની કચેરી, પશુપાલન શાખા, જિલ્લા પંચાયત ભવન, મોરબી ખાતે રૂબરૂ સંપર્ક સાધી શકાશે. આ યોજના હેઠળ મહત્તમ લાભાર્થીઓ લાભ મેળવવા અંગે અરજી કરે તેમ મદદનીશ પશુપાલન નિયામક, ઘનિષ્ઠ મરઘાં વિકાસ ઘટક, રાજકોટ કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

