ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી ! ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું આયોજન મોરબીના મચ્છુ-2 ડેમ આખો ખાલી હોય તો પણ ભરાઈ જાય તેટલું પાણી નદીમાં વહી ગયું !: હજુ પણ 2 દરવાજા 3 ફૂટ ખુલ્લા હળવદમાં દુકાનમાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બાની ચોરી હળવદ-માળિયા હાઇવે રોડ ઉપર ડબલ સવારી બાઇક આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે પૈકીનાં એક યુવાનનું મોત અપમૃત્યુના 6 બનાવ: મોરબી, માળીયા અને ટંકારા તાલુકામા પાણીમાં ડૂબી જવાથી 2, ગળાફાંસો ખાવાથી 2 અને બીમારીથી 2 વ્યક્તિના મોત
Breaking news
Morbi Today

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું આયોજન


SHARE







ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું આયોજન

ભારત વિકાસ પરિષદમોરબી શાખા તથા IMA (Indian Medical Association)ના સંયુક્ત ઉપક્રમે કલ્યાણ વજેપર ગામ પ્રાથમિક વિદ્યાલય, આલાપ રોડ, મોરબી ખાતે વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક હિમોગ્લોબિન ચેકઅપ, બ્લડ ગ્રુપ ચેકઅપ તથા આરોગ્ય  શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

ભારત વિકાસ પરિષદ મોરબી શાખાની મહિલા સહભાગીતા પાંખ દ્વારા આયોજિત આ આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શિબિરમાં ડૉ. પ્રકાશ વિડજા (પ્રિ કયોર લેબોરેટરી) તથા તેમની ટીમ દ્વારા વિદ્યાર્થીઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા, જરૂરી આરોગ્ય તપાસ કરવામાં આવી તેમજ રિપોર્ટ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી. ઉપરાંત જે વિદ્યાર્થીઓમાં હિમોગ્લોબિનની ઉણપ જોવા મળશે તેમને નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવશે. આ સેવાકીય કાર્યને સફળ બનાવવા માટે કાંતિભાઈ પાવાગઢ (તેના સંબંધી હાલ કેનેડા) દ્વારા મહત્તવપૂર્ણ આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો, જેના બદલ ભારત વિકાસ પરિષદમોરબી શાખાએ આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રાંત સંયોજક ડૉ. જયેશભાઈ પનારા તથા મોરબીમાં વિ.પ.ના મહિલા  કોમલબેન પનારા, સભ્ય સંદિપભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે સહભાગી બન્યા હતા. ભારત વિકાસ પરિષદમોરબી શાખા દ્વારા સમાજમાં આરોગ્ય જાગૃતિ, મહિલા અને બાળ કલ્યાણ તેમજ સેવાકીય પ્રવૃત્તિઓને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓના આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધે અને સ્વસ્થ સમાજના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન મળે તેવો આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે કલ્યાણ વજેપર પ્રાથમિક વિદ્યાલયના આચાર્ય, તમામ શિક્ષકગણ તથા સ્ટાફે આયોજનથી લઈને વિદ્યાર્થીઓના સંકલન, વ્યવસ્થા અને સમગ્ર કામગીરી દરમિયાન ખૂબ જ ઉત્સાહપૂર્વક સહકાર આપ્યો હતો. તેમના નિષ્ઠાપૂર્વકના પ્રયાસો અને ઉત્તમ સંકલનના કારણે આરોગ્ય શિબિર સુચારુ અને સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.






Latest News