મોરબી જલારામ ધામ-જલારામ સેવા મંડળ દ્વારા ત્રિવેણી સંગમ ખાતે ૨૮૫ દીવંગતોનુ અસ્થિઓનું સામૂહિક વિસર્જન કરાયું મોરબીમાં ઘરમાં જુગાર રમતા 7 શખ્સોની 25,500 ની રોકડ સાથે ધરપકડ માળીયા (મી)ના મોટા દહીસરા ગામનો બનાવ: કૌટુંબિક ભાઈએ પ્રેમલગ્ન કરતાં યુવતીના પિતા સહિત 8 શખ્સોએ યુવાનનું અપહરણ કરીને માર માર્યો મોરબીમાં જૂના મનદુખનો ખાર રાખીને દંપતીને ચાર મહિલા સહિત કુલ 5 લોકોએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઇકો ગાડીનો ઓવરટેક કરવાની વાતનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુ-પાઇપ વડે માર માર્યો મોરબીમાં રહેતા મુમુક્ષુ વિધીબેન મહેતાનો ગૃહ ત્યાગ: 1 ફેબ્રુઆરીએ દીક્ષા અંગીકાર કરશે ટંકારાના ગણેશપર ગામે પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો, સ્કૂલબેગનું વિતરણ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ: તેજસ્વી વિધાર્થીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પશુપાલકો પશુઓ માટે રાજ્યવ્યાપી સઘન ખસીકરણ યોજનાનો લાભ મેળવી શકશે


SHARE











મોરબી જિલ્લાના પશુપાલકો પશુઓ માટે રાજ્યવ્યાપી સઘન ખસીકરણ યોજનાનો લાભ મેળવી શકશે

આ યોજના હેઠળ વ્યક્તિગત પશુપાલકો તથા પશુઓને નિભાવતી સંસ્થાઓ જેમ કે ગૌશાળાપાંજરાપોળ તેમજ અન્ય સેવાભાવી સંસ્થાઓને નર વાછરડાને ક્લોસ મેથડ (Burdizo Castrator) અને ઓપન મેથડ (Surgical Method) થી ખસીકરણ કરાવવા બદલ પ્રતિ પશુ નર વાછરડા માટે રૂપિયા ૫૦૦ ની સહાય મળવાપાત્ર રહેશે.

આ યોજનાનો લાભ લેવા ઈચ્છુક પશુપાલક મિત્રો અને પશુઓને નિભાવતી સંસ્થાઓ જેમ કે ગૌશાળાપાંજરાપોળ તેમજ અન્ય સેવાભાવી સંસ્થાઓએ આઈ ખેડૂત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/iKhedutPublicScheme/  આ લિંક પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.આ ઘટક અંતર્ગત પુનઃ લાભ મેળવવા માટે ઓછામાં ઓછી ૦૧ વર્ષની સમય મર્યાદા છે. એટલે કે એક વખત અરજી કર્યા બાદ ૦૧ વર્ષ બાદ ફરીથી અરજી કરી શકાય છે. હાલમાં આ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી સ્વીકારવાનું ચાલુ છે. તેથી આગામી તારીખ ૧૫/૧૧/૨૦૨૪ સુધીમાં ઓનલાઈન અરજી તાત્કાલિક ધોરણે કરવાની રહે છે.

ઓનલાઈન અરજી કરતી વખતે બારકોડેડ રેશનકાર્ડસરકાર માન્ય ફોટાવાળા ઓળખપત્રની નકલ જેમ કે મતદાર ઓળખ કાર્ડડ્રાઈવિંગ લાઈસન્સકિસાન ક્રેડિટ કાર્ડબચત ખાતા બેન્ક પાસબુક અથવા રદ કરેલ ચેકની નકલસંસ્થાના રજિસ્ટ્રેશન નંબરની નકલ કે સર્ટિફિકેટ સાથે જોડવાનું રહેશે. ફક્ત દિવ્યાંગ કેટેગરીના લાભાર્થીઓએ જ સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ હોવા અંગેના પ્રમાણપત્રની નકલ સાથે જોડવાની રહેશે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે નાયબ પશુપાલન નિયામકશ્રીની કચેરીપશુપાલન શાખાજિલ્લા પંચાયત ભવનમોરબી ખાતે રૂબરૂ સંપર્ક સાધી શકાશે. આ યોજના હેઠળ મહત્તમ લાભાર્થીઓ લાભ મેળવવા અંગે અરજી કરે તેમ મદદનીશ પશુપાલન નિયામકવેટરનરી પોલીક્લિનિકમોરબી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.  






Latest News