શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત
Breaking news
Morbi Today

મોરબીમાં પાલિકાની ટીપી શાખાએ કર્યું મંદિરનું ડીમોલેશન, લોકોમાં રોષ


SHARE









મોરબીમાં પાલિકાની ટીપી શાખાએ કર્યું મંદિરનું ડીમોલેશન, લોકોમાં રોષ

મોરબીના રવાપર ગામ નજીક આવેલ એસપી રોડ ઉપર સંજય પાર્કમાં મંદિર બનાવવામાં આવ્યું હતું જે મંદિરનું પાલિકાની ટીપી શખ્સ દ્વારા પોલીસને સાથે રાખીને ડીમોલેશન કરવામાં આવ્યું હતું જેથી કરીને લોકોમાં રોષની લાગણી ફેલાયેલ છે.

મોરબીના રવાપર ગામ પાસે આવેલ એસપી રોડ ઉપર આવેલ ગ્રીન સિટી સંજય પાર્કમાં અયોધ્યામાં બનેલા રામ મંદિરની સાથે જ હનુમાનજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ હતી. જે મંદિરને પાલિકાની ટીપી શાખાના સ્ટાફે પોલીસ બંદોબસ્ત સાથે રાખીને બુલડોઝર ફેરવીને તોડી નાખ્યું છે જેથી સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી છે અને જે જગ્યાએ મંદિર તોડવામા આવેલ છે ત્યાં અન્ય કોઈપણ ગેરકાયદે બાંધકામ કરાશે તો તંત્રની સામે કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે. જેથી આ બાબતે પાલિકાના ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી વિનય ગાયકવાડે જણાવ્યું હતું કે, મંદિર રસ્તાની વચ્ચે હતું જેથી તેને તોડી પાડવામાં આવેલ છે.






Latest News