ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં પાલિકાની ટીપી શાખાએ કર્યું મંદિરનું ડીમોલેશન, લોકોમાં રોષ


SHARE













મોરબીમાં પાલિકાની ટીપી શાખાએ કર્યું મંદિરનું ડીમોલેશન, લોકોમાં રોષ

મોરબીના રવાપર ગામ નજીક આવેલ એસપી રોડ ઉપર સંજય પાર્કમાં મંદિર બનાવવામાં આવ્યું હતું જે મંદિરનું પાલિકાની ટીપી શખ્સ દ્વારા પોલીસને સાથે રાખીને ડીમોલેશન કરવામાં આવ્યું હતું જેથી કરીને લોકોમાં રોષની લાગણી ફેલાયેલ છે.

મોરબીના રવાપર ગામ પાસે આવેલ એસપી રોડ ઉપર આવેલ ગ્રીન સિટી સંજય પાર્કમાં અયોધ્યામાં બનેલા રામ મંદિરની સાથે જ હનુમાનજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ હતી. જે મંદિરને પાલિકાની ટીપી શાખાના સ્ટાફે પોલીસ બંદોબસ્ત સાથે રાખીને બુલડોઝર ફેરવીને તોડી નાખ્યું છે જેથી સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી છે અને જે જગ્યાએ મંદિર તોડવામા આવેલ છે ત્યાં અન્ય કોઈપણ ગેરકાયદે બાંધકામ કરાશે તો તંત્રની સામે કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે. જેથી આ બાબતે પાલિકાના ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી વિનય ગાયકવાડે જણાવ્યું હતું કે, મંદિર રસ્તાની વચ્ચે હતું જેથી તેને તોડી પાડવામાં આવેલ છે.






Latest News