મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવા નજીક માતંગી મોઢેશ્વરી માતાજીના મંદિરે હવાન-પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે


SHARE













વાંકાનેરના તીથવા નજીક માતંગી મોઢેશ્વરી માતાજીના મંદિરે હવાન-પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

વાંકાનેર તાલુકાનાં જડેશ્વર મહાદેવ મંદિર નજીક તીથવા ગામના રસ્તા ઉપર આવેલ ભંગેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં શ્રી માતંગી મોઢેશ્વરી માતાજીનું મંદિર આવેલ છે અને ત્યાં હવાનનું આયોજન કરવામાં આવ્યું છે

વાંકાનેરના તીથવા પાસે આવેલ શ્રી માતંગી મોઢેશ્વરી માતૃ સંસ્થાન “માઁ નું ધામ” માતંગી મોઢેશ્વરી માતાજીના મંદિરે હવાનનું આયોજન કરવામાં આવ્યું છે અને આગમી તા 1/12 ને રવિવારે સાંજે 4 થી 5 નુતન મંદિરોનું પંચગવ્ય અને ગંગાજળથી શુધ્ધિકરણ કરાશે. તા 2/12 ને સોમવારે સવારે 8 થી 12 અને બપોરે 3 થી 6  હેમાદ્વી (પ્રાયશ્ચીત), પ્રધાન સંકલ્પ, ગણપતિ પુજા, મંડપ પ્રવેશ, સર્વદેવ પુજા, જલયાત્રા, આરતી પુજા સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાશે. તા 3/12 ને મંગળવારે સવારે 8 થી 12 અને બપોરે 3 થી 6  પ્રાતઃપુજા, પ્રધાન દેવ પુજા, મૂર્તિ ઉત્થાન, કુટીર હોમ, પોષ્ટીક હોમ, પ્રધાન હોમ, કૌતુક શુત્રબંધન, નગરયાત્રા, સામૈયા સહિતના કાર્યક્રમ યોજાશે અને તા 4/12 ને  બુધવારે સવારે 8 થી 3:30 સુધી મૂર્તિ સામૈયા, મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા, શિખર પુજા, અભિષેક, દેવતાઓનો મંદિર પ્રવેશ, પુર્ણાહુતી અને મહા-આરતી પુજા તેમજ આર્શીવચન રાખવામા આવેલ છે આ હવનમાં યજમાન તરીકે સુરેશભાઈ નરહરીનભાઈ પંડયા પરિવાર (મોંમ્બાસા વાળા)- રાજપર મોરબી, પરેશભાઈ જયંતીલાલ વજરીયા પરિવાર- મોરબી, મુળશંકરભાઈ (નાનુભાઈ)- અંજાર (કચ્છ) વાળા બેસસે અને આહુતિ આપશે. અને ત્યારબાદ મહાપ્રસાદ યોજાશે.








Latest News