વાંકાનેરના તીથવા નજીક માતંગી મોઢેશ્વરી માતાજીના મંદિરે હવાન-પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
માળીયા (મી)-હળવદના ખેડૂતોને સિચાઈ માટે કેનાલમાંથી એક સપ્તાહમાં પાણી મળી જશે: ધારાસભ્ય
SHARE
માળીયા (મી)-હળવદના ખેડૂતોને સિચાઈ માટે કેનાલમાંથી એક સપ્તાહમાં પાણી મળી જશે: ધારાસભ્ય
માળીયા અને હળવદ તાલુકાનાં છેવાડાના ગામના ખેડૂતોને હાલમાં સિંચાઇ માટેનું પાણી નર્મદની કેનાલમાંથી મળી રહ્યું નથી અને છેલ્લા ચાર દિવસથી હરપાલ સાગર બ્રાહ્મણી ડેમ-2 માંથી છોડવામાં આવતું પાણી મળતું નથી જેથી શિયાળુ ઘઉં, લસણ, રાય સહિતના પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ સર્જાયેલ છે માટે નવા ધનાળા નજીક ખેડૂતોએ રામધૂન બોલાવીને પાણી આપવાની માંગ સાથે વિરોધ કરવામાં આવેલ હતો. અને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી તેવામાં મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા બ્રાહ્મણી ડેમ-2 ખાતે અધિકારીઓ સાથે પહોચ્યા હતા અને 15 હાજર ક્યુસેક પાણી છોડવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી. આટલું જ નહીં પરંતુ ધારાસભ્યએ આગામી એક સપ્તાહમાં ખેડૂતોને પાણી મળી જશે તેવી પણ લાગણી વ્યક્ત કરી હતી. આ તકે ધારાસભ્ય સાથે જુદાજુદા ગામના સરપંચો અને ભાજપના આગેવનો હાજર રહ્યા હતા.