હળવદ નજીક નર્મદાની કેનાલમાં ન્હાવા પડેલા 10 પૈકી બે યુવાન ડૂબી જતા શોધખોળ શરૂ કમોસની વરસાદ: મોરબી જિલ્લામાં ધૂળ-કોલસીની ડમરી તેમજ પતરા અને હોર્ડિંગ બોર્ડ ઉડ્યા, ખેડૂતો-અગરિયાઓને મોટું નુકસાન મોરબીમાં દલવાડી સર્કલથી પંચાસર ચોકડી વચ્ચે રોડ સાઈડમાંથી ધૂળ-મેટલ ઉપાડવા કોંગ્રેસનાં આગેવાનની રજૂઆત માળીયા (મી)નાં સોનગઢ નજીક ખાનગી કંપનીની વીજ પોલ નમી ગયો મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી નિમિતે દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીમાં આવેલ પેકેજિંગના યુનિટોને ટકાવી રાખવા માટે 15 થી 20 ટકા જેટલો ભાવ વધારો નિશ્ચિત મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક સિસ્ટર નિવેદિતા એવોર્ડથી સન્માનિત મોરબીમાં સિરામિકના કારખાના બંધ હોય એસપી મુકેશ પટેલે ઉદ્યોગકારોને કર્યા મહત્વપૂર્ણ સૂચનો
Breaking news
Morbi Today

માળીયા (મી)-હળવદના ખેડૂતોને સિચાઈ માટે કેનાલમાંથી એક સપ્તાહમાં પાણી મળી જશે: ધારાસભ્ય


SHARE













માળીયા (મી)-હળવદના ખેડૂતોને સિચાઈ માટે કેનાલમાંથી એક સપ્તાહમાં પાણી મળી જશે: ધારાસભ્ય

માળીયા અને હળવદ તાલુકાનાં છેવાડાના ગામના ખેડૂતોને હાલમાં સિંચાઇ માટેનું પાણી નર્મદની કેનાલમાંથી મળી રહ્યું નથી અને છેલ્લા ચાર દિવસથી હરપાલ સાગર બ્રાહ્મણી ડેમ-2 માંથી છોડવામાં આવતું પાણી મળતું નથી જેથી શિયાળુ ઘઉં, લસણ, રાય સહિતના પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ સર્જાયેલ છે માટે નવા ધનાળા નજીક ખેડૂતોરામધૂન બોલાવીને પાણી આપવાની માંગ સાથે વિરોધ કરવામાં આવેલ હતો. અને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં  આવી હતી તેવામાં મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા બ્રાહ્મણી ડેમ-2 ખાતે અધિકારીઓ સાથે પહોચ્યા હતા અને 15 હાજર ક્યુસેક પાણી છોડવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી. આટલું જ નહીં પરંતુ ધારાસભ્યએ આગામી એક સપ્તાહમાં ખેડૂતોને પાણી મળી જશે તેવી પણ લાગણી વ્યક્ત કરી હતી. આ તકે ધારાસભ્ય સાથે જુદાજુદા ગામના સરપંચો અને ભાજપના આગેવનો હાજર રહ્યા હતા.




Latest News