મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી બીઆરસી ભવન ખાતે જ્ઞાનકુંજ તાલીમમાં શિક્ષકોને સાયબર અવેરનેસની તાલીમ અપાઈ


SHARE







મોરબી બીઆરસી ભવન ખાતે જ્ઞાનકુંજ તાલીમમાં શિક્ષકોને સાયબર અવેરનેસની તાલીમ અપાઈ

સરકાર દ્વારા સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ક્લાસ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ બોર્ડ આપવામાં આવેલ છે ,જે અંતર્ગત શિક્ષકોની તાલીમમાં ૨૧ મી સદીના ડિજિટલ યુગમાં જીવી રહેલા માનવીને ઇન્ટરનેટની સગવડે અનેક પ્રકારના ડિજિટલ સાધનો એ માણસની જિંદગી અનેક પ્રકારે બદલી નાખી છે. છતાંય ટેકનોલોજી એક બેધારી તલવાર છે.જો એનો વિવેક પૂર્ણ દક્ષતાપૂર્વક એનો ઉપયોગ કરતા ન આવડે તો તે ક્યારેક અનર્થ સર્જતો હોય છે. પરિણામે સમાજમાં આપણે જોઈએ છીએ કે સાયબર ક્રાઇમના બનાવો સતત વધી રહ્યા છે, એવું નથી કે ફક્ત અશિક્ષિત લોકો જ આનો શિકાર બની રહ્યા છે, ભણેલા ગણેલા પણ લાલચ ડર કે આળસના કારણે સાયબર ફ્રોડ નો ભોગ બનતા હોય છે. જે અંતર્ગત સમાજમાં જાગૃતિ આવે તે માટે સાયબર ક્રાઈમ વિભાગ તરફથી એએસઆઈ રજનીકાંતભાઈ કૈલા, કોન્સ્ટેબલ પરાક્રમસિંહ જાડેજા કોન્સ્ટેબલ આકૃતિબેન પીઠવા સહીતની ટીમ દ્વારા શિક્ષકોમાં તથા તેમના વિદ્યાર્થીઓમાં આ પ્રકારની જાગૃતિ આવે તે માટે કૈલા દ્વારા ડિજિટલ અરેસ્ટ, સાઇબર બુલિંગ, ફાઇનાન્સિયલ ફ્રોડ ,ઈમેલ સ્પૂફિંગ, વેબસાઇટ, વોટસએપ વિડીયો કોલ કે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક દ્વારા ચાલાકી પૂર્ણ રીતે છેતરપિંડી કરીને કઈ રીતે સાયબર ગઠિયાઓ વ્યક્તિને છેતરીને તેને સામાજિક કે આર્થિક નુકસાન પહોંચાડે છે તેની સમાજમાં બની રહેલી ઘટનાઓના ઉલ્લેખ દ્વારા વિશદ છણાવટ કરી હતી.આ તકે બીઆરસી ચિરાગભાઈ આદ્રોજા, સીઆરસી કો-ઓર્ડીનેટર ચેતનભાઇ જાકાસણીયા, ઉમેશભાઈ પટેલ દ્વારા સાઇબર વિભાગનો આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો.






Latest News