લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાની હાજરીમાં રાજસ્થાનમા રામદેવરા (રણુજા) ખાતે યાત્રિક ભવન ભુમી પુજન કરાશે


SHARE

















કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાની હાજરીમાં રાજસ્થાનમા રામદેવરા (રણુજા) ખાતે યાત્રિક ભવન ભુમી પુજન કરાશે

રામદેવરા (રણુજા) રાજસ્થાન બાબા રામદેવપીર સમાધી સ્થાનની પાવન ભુમી પર જય બાબેરી ધર્મશાળા, જૈન મંદિરની બાજુમાં તા.૦૭/૧૨/૨૦૨૪ શનિવારે કાર્યક્રમનું આયોજન રાખવામા આવેલ છે. બાબા રામદેવ સેવા સમિતિ એવમ રામદેવ ભક્ત સંગમ દ્વારા આનંદસિંહ તંવરના નેજા હેઠળ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમમાં બાબા રામદેવજી મહારાજના ભક્તજનોને રણુજા પધારવા આમંત્રણ આપવામાં આવેલ છે.

કચ્છ મોરબીના સાંસદ અને બાબા રામદેવજી મહારાજના અનન્ય ભક્ત વિનોદભાઇ ચાવડાની ઉપસ્થિતિમાં રહેવા તથા પ્રસાદની વ્યવસ્થા વ્યવસ્થાપકો તરફથી કરવામાં આવેલ છે. અને યાત્રીક ભવન ભુમી પુજન, જમ્મા જાગરણ, સ્નેહ મિલન એવમ સંતોના આશીર્વાદ પાટકોરી - મહા પ્રસાદ તથા સંતવાણી, મહાનુભાવોનું સન્માનનો ભવ્ય કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ છે. ૨૦૨૪ લોકસભા ઇલેક્સનમાં  વિનોદભાઇ ચાવડાને ફરી ત્રીજી ટર્મ માટે ટિકિટ મળે અને મોટી લીડથી તેઓ વિજયી બને માટે તેમના સ્નેહીજનો, મિત્રો તરફથી શુભકામના પ્રાર્થના કરવામાં આવી હતી તેઓ સૌને આ પ્રસંગે સાંસદ તરફથી રણુજા બાબા રામદેવજી મહારાજના દર્શન અને શુભકામના પુર્ણ કરવાનું ભાવપુર્ણ નિમંત્રણ પણ પાઠવેલ છે. દર બીજના દર્શનાર્થે આવતા શ્ર્ધાળુઓ ભક્તજનોને પણ ઉપસ્થિત રહેવાનું બાબા રામદેવ સેવા સમિતિ, રામદેવ ભક્ત સંગમ કચ્છ અને સમિતિ સચિવ ખેતમલ શર્મા, રાષ્ટ્રીય સંયોજક હરજીવન મારવાડા તથા ગુજરાત પ્રદેશ સંયોજક પ્રકાશ કુમાર બારોટે નિમંત્રણ આપેલ છે.




Latest News