ટંકારાના હીરાપર ગામ પાસે રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા બે મહિલા સહિત ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીના રંગપર પાસે બાઈક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયેલા બે પૈકી એક યુવાનનું મોત: એક સારવારમાં વાંકાનેરના મહિકા ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે ડિઝીટલ એક્ષ રે કેમ્પ યોજાયો મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું
Breaking news
Morbi Today

હળવદના ચુંપણી ગામે વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી અને બંધુક સાથે દંપતિની ધરપકડ: 1.15 લાખનો મુદામાલ કબજે


SHARE













હળવદના ચુંપણી ગામે વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી અને બંધુક સાથે દંપતિની ધરપકડ: 1.15 લાખનો મુદામાલ કબજે

હળવદ તાલુકાના ચુંપણી ગામે આવેલ વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની માહિતી આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટેનો 3600 લિટર આથો તેમજ તૈયાર 100 લિટર દારૂ અને એક દેશી હાથ બનાવટી બંધુક મળી આવી હતી જેથી કરીને પોલીસે આરોપીની ધરપકડ કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશને આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો નોધીને આગળની કાર્યવાહી કરી હતી.

હળવદ તાલુકા પીઆઇ આર.ટી.વ્યાસની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે તેવામાં દિનેશભાઇ હનાભાઇ બાવળીયા અને હરવિજયસિંહ કિરીટસિંહ ઝાલાને મળેલ સયુંકત બાતમી આધારે હળવદ પોલીસ દ્વારા ચુંપણી ગામની સીમમાં આરોપી વશરામભાઈ ભુરાભાઈ મકવાણાની વાડીએ દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરી હતી ત્યારે દેશી દારુ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 18 બેરલમાં 3600 લીટર આથો મળી આવ્યો હતો તેમજ 100 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો તેમજ સ્થળ ઉપરથી એક દેશી હાથ બનાવટી બે બેરલ વાળી બંધુક મળી આવી હતી જેથી કરીને કુલ મળીને 1.15 લાખનો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી વશરામભાઈ ભુરાભાઈ મકવાણા (37) અને તેની પત્ની દિપુબેન વશરામભાઈ મકવાણા (35) રહે. બંને ચુંપણી તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી. આ કામગીરી પીઆઇ આર.ટી.વ્યાસની સૂચના મુજબ અજીતસિંહ નટુભા સિસોદીયા, દિનેશભાઈ હનાભાઈ બાવળીયા, નરેન્દ્રભારથી મહેન્દ્રભારથી ગોસ્વામી, વિપુલભાઈ સુરેશભાઈ ભદ્રાડીયા, હરવિજયસિંહ કિરીટસિંહ ઝાલા, રણજીતસિંહ અરજણભાઈ રાઠોડ, દિપકસિંહ દશરથસિંહ કાઠિયા દ્વારા કરવામાં આવી હતી.






Latest News