મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદના ચુંપણી ગામે વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી અને બંધુક સાથે દંપતિની ધરપકડ: 1.15 લાખનો મુદામાલ કબજે


SHARE







હળવદના ચુંપણી ગામે વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી અને બંધુક સાથે દંપતિની ધરપકડ: 1.15 લાખનો મુદામાલ કબજે

હળવદ તાલુકાના ચુંપણી ગામે આવેલ વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની માહિતી આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટેનો 3600 લિટર આથો તેમજ તૈયાર 100 લિટર દારૂ અને એક દેશી હાથ બનાવટી બંધુક મળી આવી હતી જેથી કરીને પોલીસે આરોપીની ધરપકડ કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશને આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો નોધીને આગળની કાર્યવાહી કરી હતી.

હળવદ તાલુકા પીઆઇ આર.ટી.વ્યાસની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે તેવામાં દિનેશભાઇ હનાભાઇ બાવળીયા અને હરવિજયસિંહ કિરીટસિંહ ઝાલાને મળેલ સયુંકત બાતમી આધારે હળવદ પોલીસ દ્વારા ચુંપણી ગામની સીમમાં આરોપી વશરામભાઈ ભુરાભાઈ મકવાણાની વાડીએ દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરી હતી ત્યારે દેશી દારુ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 18 બેરલમાં 3600 લીટર આથો મળી આવ્યો હતો તેમજ 100 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો તેમજ સ્થળ ઉપરથી એક દેશી હાથ બનાવટી બે બેરલ વાળી બંધુક મળી આવી હતી જેથી કરીને કુલ મળીને 1.15 લાખનો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી વશરામભાઈ ભુરાભાઈ મકવાણા (37) અને તેની પત્ની દિપુબેન વશરામભાઈ મકવાણા (35) રહે. બંને ચુંપણી તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી. આ કામગીરી પીઆઇ આર.ટી.વ્યાસની સૂચના મુજબ અજીતસિંહ નટુભા સિસોદીયા, દિનેશભાઈ હનાભાઈ બાવળીયા, નરેન્દ્રભારથી મહેન્દ્રભારથી ગોસ્વામી, વિપુલભાઈ સુરેશભાઈ ભદ્રાડીયા, હરવિજયસિંહ કિરીટસિંહ ઝાલા, રણજીતસિંહ અરજણભાઈ રાઠોડ, દિપકસિંહ દશરથસિંહ કાઠિયા દ્વારા કરવામાં આવી હતી.






Latest News