ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતાં અત્યાચારના વિરોધમાં ટંકારામાં આવેદનપત્ર પાઠવ્યું


SHARE













બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતાં અત્યાચારના વિરોધમાં ટંકારામાં આવેદનપત્ર પાઠવ્યું

ટંકારા તાલુકા સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ વિવિધ સંગઠનો દ્વારા બાંગ્લાદેશમાં થઈ રહેલા અત્યાચારો સામે મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યુ છે કે, બાંગ્લાદેશમાં સનાતન હિન્દુ સમાજના પરિવારો ઉપર કટ્ટરપંથીઓ દ્વારા અમાનુષી તથા અમાનવીય અત્યાચારો કરવામાં આવી રહ્યા છે જેનાથી કંપારી છુટી જાય એમ છે ત્યારે ભારત સરકારના પ્રધાન સેવક પિડિતોના હક્ક અને હિતમાં ઉભા રહે અને વિદેશ નિતી અને સંયુક્ત રાષ્ટ્રને આ અંગે પ્રસ્તાવ મૂકી ત્યાંની સર્વોચ્ચ અદાલતમાં હિન્દુ સમાજ અને પિડીતોને ન્યાય મળે તથા તાત્કાલિક અસરથી ખાના ખરાબી જાન માલની નુકસાની તથા નિર્ભય પણે જીવન વ્યતીત કરી શકે એવી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ ઉપર તથા અન્ય દેશોમાં હિન્દુ સમાજના નાગરિકો સાથે અત્યાચારો કરવામાં આવે છે તે બંધ થાય તથા સમગ્ર હિન્દુ સમાજની જાન માલની સુરક્ષા સુનિશ્ચિત થાય, બાંગ્લાદેશમાં નિવાસ કરતા અલ્પસંખ્યક હિન્દુ સાથે સંપૂર્ણ ભારતીય હિન્દુ સમાજ આ દુઃખની ઘડીમાં સાથે છે અને પીડિત સમાજ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરે છે. આ તકે રાષ્ટ્ર નવનિર્માણ સંઘ, પટેલ સમાજ એસો., હિન્દૂ અસ્મિતા મંચ, આર્ય સમાજ અને ગુર્જર સુતાર તથા લુહાર સુતાર જ્ઞાતિ મંડળ સહિતના સંગઠનના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.






Latest News