મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના નાયબ મામલતદાર, ક્લાર્ક અને તલાટી સહિત 25 અધિકારીઓની આંતરિક બદલી


SHARE







મોરબી જિલ્લાના નાયબ મામલતદાર, ક્લાર્ક અને તલાટી સહિત 25 અધિકારીઓની આંતરિક બદલી

મોરબી જીલ્લામાં ભ્રષ્ટાચારે મજા મૂકી છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી કેમ કે તાજેતરમાં હોટલના જુગાર કાંડમાં પોલીસે મોટો તોડ કર્યો હોવાની માહિતી સામે આવી ત્યાર બાદ પેટકોક ચોરી કૌભાંડ સામે આવ્યું જેથી કરીને પોલીસે બેડામાં મોટી ઊથલ પાથલ કરવામાં આવી હતી તેવી જ રીતે છેલ્લા થોડા મહિનાઓમાં બે તલાટી લાંચ લેતા એસીબીમાં પકડાયેલ હતા જેથી હવે કલેકટરે જીલ્લામાં બદલી માટેનો ઘાણો કાઢેલ છે જેમાં નાયબ મામલતદાર, ક્લાર્ક અને તલાટી મળીને કુલ 25 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

હાલમાં કલેક્ટર દ્વારા જે આધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે તેમાં નાયબ મામલતદાર પી.એમ.અજાણીની ટંકારા, યુ.એસ.વાળાની વાંકાનેર, પી.બી.ગઢવીની વાંકાનેર, જે.એ.માથકિયાની વાંકાનેર, બી.એસ.પટેલની મોરબી કલેકટર કચેરી, આર.કે.સોલંકીની વાંકાનેર પ્રાંત, પી.એચ.પરમારની ટંકારા, એફ.એન.મોડની હળવદ, જી.વી.પઢીયરની હળવદ પ્રાંત, એમ.એચ. ત્રિવેદીની મોરબી એટીવીટી, આર.જી. હેરમાની વાંકાનેર પ્રાંત, વાય.પી.ગૌસ્વામીની મોરબી ગ્રામ્યમાં બદલી કરેલ છે. જયારે ક્લાર્ક વી.બી.કંઝારીયાની મોરબી ગ્રામ્ય, આર.બી. પટેલની હળવદ, પી.એચ. જાડેજાની મોરબી કલેકટર કચેરી, આર.ડી.અલગોતરની મોરબી કલેકટર કચેરી, આર.બી.બાવરવાની મોરબી પ્રાંતમાં બદલી કરી છે અને મહેસુલી તલાટીમાં એલ.બી.સોઢીયાની જુના નાગડાવાસ, એમ.એમ.જોગરાજિયાની પંચાસિયા સેજો, પી.જી.ઝાલાની વાંકાનેર, એ.પી.જાડેજાની આમરણ સેજો, પી.ડી.જાનીની મોરબી, એમ.જે.સન્યારીની અરણીટીંબા, એમ.સી.ગોહિલની હડમતીયા અને વાય.એસ.ખેરની રાજાવડલા ખાતે બદલી કરી છે.






Latest News