મોરબીના અણીયારી ગામ નજીક રાજસ્થાનના યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકિને હત્યા
SHARE
મોરબીના અણીયારી ગામ નજીક રાજસ્થાનના યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકિને હત્યા
માળીયા હળવદ હાઇવે રોડ ઉપર અણીયારી ગામની સીમમાં શ્રમિક યુવાનને અજાણ્યા શખ્સ દ્વારા કોઈપણ કારણોસર તિક્ષણ હથિયારના ઘા મારીને ગંભીર ઇજા કરવામાં આવી હતી જેથી તે યુવાનનું મોત નિપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પત્નીની ફરિયાદ લઈને અજાણ્યા શખ્સની સામે હત્યાનો ગુનો નોંધીને પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ રાજસ્થાનના બાસવાડા જિલ્લાના ગળી તાલુકાના દદુકા ગામના રહેવાસી પુરીબેન સંજયભાઈ મહવઇ (35) નામના મહિલાએ અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યૂ છે કે માળિયા અમદાવાદ હાઈવે રોડ ઉપર અણીયારી ગામની સીમમાં આવેલ ગોવિંદભાઈ દેસાઈના ખેતરના સેઢા પાસે તેઓના પતિ સંજયભાઈ મોહનભાઈ મહવઇ (35) ને કોઈ અજાણ્ય શખ્સ દ્વારા કોઈ પણ કારણોસર તિક્ષ્ણ હથિયારના ઘા તા 25/8/24 ના રોજ બપોરે ત્રણેક વાગ્યના અરસામાં મરવામાં આવ્યા હતા જેથી તે યુવાનને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું હાલમાં મૃતક યુવાનના પત્નીએ નોંધાવેલ હત્યાની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર.મકવાણા ચલાવી રહ્યા છે.









