મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના ઈલેક્ટ્રીક પાવર ચોરી પ્રકરણના આરોપી રાજુ હંસરાજ પટેલનો નીર્દોષ છુટકારો


SHARE







મોરબીના ઈલેક્ટ્રીક પાવર ચોરી પ્રકરણના આરોપી રાજુ હંસરાજ પટેલનો નીર્દોષ છુટકારો

મોરબીના ઈલેક્ટ્રીક પાવર ચોરી પ્રકરણના કેસમાં પ્રિન્સી સેસન્સ જજથી મહીડા સાહેબની કોર્ટએ આરોપી રાજુ હંસરાજ પટેલનો નીર્દોષ છુટકારો કરેલ છે.

જેતે  સમયે ફરીયાદ પક્ષના કેસની ટુંકી હકીકત એવી હતી કે આ કામના આરોપીએ પોતાના કબ્જાની ખેતીવાડીના પિયત માટે વાયર વડે ગેરકાયદેસર સીધુ વીજજોડાણ મેળવી વપરાશ કરતા હોય, આરોપીની વાડીમાં તા.૧૮-૧૦-૧૩ ના રોજ પી.જી.વી.સી.એલ ના સ્ટાફે વીજ ચેકીંગ કરતાં આરોપીઓએ ખેતીવાડીના હેતુ માટે ગેરકાયદેસર રીતે વીજ વપરાશ કરી વીજ ચોરી કરતાં પકડાયેલ હોય તેમજ તા.૨૦-૯-૧૨ ના રોજ પણ વીજ ચોરી કરતાં પકડાયેલ હોય આરોપીએ બે વખત વીજ ચોરી કરતા પકડાયેલ હોવા બાબતે કાયદેસર તપાસ થવા ફરીયાદીએ પોલીસ સ્ટેશને કરીયાદ આપેલ ત્યારબાદ ફરીયાદીની ફરીયાદ લઈ આરોપી સામે ઈન્ડીયન ઈલેક્ટ્રીસીટી એક્ટ ૨૦૦૩ ની કલમ-૧૩૫ અન્વયે ગુન્હો દાખલ કરેલ અને ઉપરોક્ત આરોપીની ધરપકડ કરેલી.

આ અંગેનો કેસ અત્રે મોરબીના પ્રિન્સી સેસન્સ જજથી મહીડા સાહેબની કોર્ટમાં શરૂ થયેલો. સરકાર પપક્ષેથી આ કામમાં ફરીયાદી ચૌધરી તથા અન્ય કાર્યપાલક ઈજનેર કે જેઓ રેડ દરમ્યાન હાજર હતા તે તથા આ કામના તપાસ કરનાર અધીકારીશ્રીઓને તપાસવામાં આવેલા.આ કામમાં આરોપી વતી મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચાણીયા રોકાયેલા અને આરોપી તરફે દલીલ કરવામાં આવેલ કે આરોપીઓએ કોઈ વીજચારી કરેલ હોય તેવું બનેલ નથી અને ફરીયાદી તથા સાહેદોની જુબાની લક્ષએ લેતાં એકપણ સાહદ દ્વારા બનાવ સ્થળ આરોપીનાં કબ્જા ભોગવટા કે માલીકીનુ હોવા બાબત કોઈ પુરાવો રજુ કરેલ નથી.

આગપી દ્વારા ગેરકાયદેસર વીજજોડાણ મેળવવામાં આવેલ તે પણ ફરીયાદ પક્ષ સાબીત કરેલ નથી. આમ, ફરીયાદ પક્ષ આરોપીની વાડી કે કબ્જા ભોગવટાની હતી તે બાબત નિ:શંકપણે પુરવાર કરી શકેલ ન હોય જેથી આરોપીને તદન નિર્દોષ છોડી મુકવા જોઈએ તેવી ધારદાર દલીલ કરેલી.તમામ દલીલોને અંતે નામ. સ્પેસ્થલ જજથી મહીડા સાહેબે આરોપી પક્ષની તમામ દલીલો માન્ય રાખી આ કામના આરોપી રાજુભાઈ હંસરાજભાઈ પટેલને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલો.આ કેસના આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અંગેચાણીયા, જે.ડી.અગેચાણીય, રવી ચાવડા, કુલદિપ ઝીંઝુવાડીયા, આરતી પંચાસરા, ઉષા બાબરીયા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા રોકાયેલ હતા.






Latest News