મોરબીના રામધન આશ્રમ ખાતે રામદેવ રામાયણ કથાનું આયોજન
SHARE
મોરબીના રામધન આશ્રમ ખાતે રામદેવ રામાયણ કથાનું આયોજન
મોરબીના રામધન આશ્રમ ખાતે જય માતાજી ગુરૂકૂપા સેવા સમિતિ દ્વારા ભવ્ય રામદેવ રામાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાના વક્તા તરીકે રત્નેશ્વરીદેવી ગુરૂ મહંત ભાવેશ્વરીમાં વ્યાસપીઠ ઉપર બીરાજશે અને તેની સંગીતમય શૈલીમાં કથાનું શ્રોતાઓને રસપાન કરાવશે આ કથામાં સંતો મહંતો, રાજકીય સામાજિક આગેવાનો તેમજ જુદા જુદા મંડળો ઉપસ્થિત રહેશે.
આ કથાનો પ્રારંભ તા. 24/12 ને મંગળવારથી કરવામાં આવશે અને કથા વિરામ તા. 30/12 ને સોમવારના રોજ થશે અને કથાનો સમય સવારે 9:00થી 12:00 તેમજ બપોરે 2:00 થી-5:00 સુધી નો રહેશે. તેમજ રામધન આશ્રમ ખાતે પ્રથમ વખત ચાર જુગનો પાટ અને ભજન સંતવાણી તા તા. 26/12 ના રોજ રાખેલ છે જેથી ભક્તો દર્શન કરી શકશે અને તેના માટેનો સમય બપોરે 2:00 થી 6:00 સુધી રાખવામા આવેલ છે. આ કથામાં રામ પ્રાગટ્ય, શ્રીકૃષ્ણ નંદ મહોત્સવ, રામદેવજી પ્રાગટ્ય, ભૈરવ ઉધ્ધાર, રામદેવજી મહારાજના વિવાહ તા તા. 28/12 ને શનિવારે રાખેલ છે જેથી જય માતાજી ગુરૂકૃપા સેવા સમિતિ દ્વારા ભાવિકભકતોને કથાનો લાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે