મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ ખાતે  રામદેવ રામાયણ કથાનું આયોજન


SHARE









મોરબીના રામધન આશ્રમ ખાતે  રામદેવ રામાયણ કથાનું આયોજન

મોરબીના રામધન આશ્રમ ખાતે જય માતાજી ગુરૂકૂપા સેવા સમિતિ  દ્વારા ભવ્ય રામદેવ રામાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના વક્તા તરીકે રત્નેશ્વરીદેવી ગુરૂ મહંત ભાવેશ્વરીમાં વ્યાસપીઠ ઉપર બીરાજશે અને તેની સંગીતમય શૈલીમાં કથાનું શ્રોતાઓને રસપાન કરાવશે આ કથામાં સંતો મહંતો, રાજકીય સામાજિક આગેવાનો તેમજ જુદા જુદા મંડળો ઉપસ્થિત રહેશે.

કથાનો પ્રારંભ તા. 24/12 ને મંગળવારથી કરવામાં આવશે અને કથા વિરામ તા. 30/12 ને સોમવારના રોજ થશે અને કથાનો સમય સવારે 9:00થી 12:00 તેમજ બપોરે 2:00 થી-5:00 સુધી નો રહેશે. તેમજ રામધન આશ્રમ ખાતે પ્રથમ વખત ચાર જુગનો પાટ અને ભજન સંતવાણી તા તા. 26/12 ના રોજ રાખેલ છે જેથી ભક્તો દર્શન કરી શકશે અને તેના માટેનો સમય બપોરે 2:00 થી 6:00 સુધી રાખવામા આવેલ છે. આ કથામાં રામ પ્રાગટ્ય, શ્રીકૃષ્ણ નંદ મહોત્સવ, રામદેવજી પ્રાગટ્ય, ભૈરવ ઉધ્ધાર, રામદેવજી મહારાજના વિવાહ તા તા. 28/12 ને શનિવારે રાખેલ છે જેથી જય માતાજી ગુરૂકૃપા સેવા સમિતિ દ્વારા ભાવિકભકતોને કથાનો લાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News