મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ ખાતે  રામદેવ રામાયણ કથાનું આયોજન


SHARE







મોરબીના રામધન આશ્રમ ખાતે  રામદેવ રામાયણ કથાનું આયોજન

મોરબીના રામધન આશ્રમ ખાતે જય માતાજી ગુરૂકૂપા સેવા સમિતિ  દ્વારા ભવ્ય રામદેવ રામાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના વક્તા તરીકે રત્નેશ્વરીદેવી ગુરૂ મહંત ભાવેશ્વરીમાં વ્યાસપીઠ ઉપર બીરાજશે અને તેની સંગીતમય શૈલીમાં કથાનું શ્રોતાઓને રસપાન કરાવશે આ કથામાં સંતો મહંતો, રાજકીય સામાજિક આગેવાનો તેમજ જુદા જુદા મંડળો ઉપસ્થિત રહેશે.

કથાનો પ્રારંભ તા. 24/12 ને મંગળવારથી કરવામાં આવશે અને કથા વિરામ તા. 30/12 ને સોમવારના રોજ થશે અને કથાનો સમય સવારે 9:00થી 12:00 તેમજ બપોરે 2:00 થી-5:00 સુધી નો રહેશે. તેમજ રામધન આશ્રમ ખાતે પ્રથમ વખત ચાર જુગનો પાટ અને ભજન સંતવાણી તા તા. 26/12 ના રોજ રાખેલ છે જેથી ભક્તો દર્શન કરી શકશે અને તેના માટેનો સમય બપોરે 2:00 થી 6:00 સુધી રાખવામા આવેલ છે. આ કથામાં રામ પ્રાગટ્ય, શ્રીકૃષ્ણ નંદ મહોત્સવ, રામદેવજી પ્રાગટ્ય, ભૈરવ ઉધ્ધાર, રામદેવજી મહારાજના વિવાહ તા તા. 28/12 ને શનિવારે રાખેલ છે જેથી જય માતાજી ગુરૂકૃપા સેવા સમિતિ દ્વારા ભાવિકભકતોને કથાનો લાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News