મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં અપહરણ-પોકસોના ગુનામાં પડકાયેલ આરોપીને નિર્દોષ છોડી મુકવા આદેશ


SHARE













મોરબીમાં અપહરણ-પોકસોના ગુનામાં પડકાયેલ આરોપીને નિર્દોષ છોડી મુકવા આદેશ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અગાઉ નોંધાયેલ અપહરણ અને પોકસો ના ગુનામાં આરોપીને પકડવામાં આવેલ હતો તે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલે કરેલ દલીલ અને પુરાવાઓને ધ્યાને લઈને આરોપીને નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે

આ કેસની માહિતી આપતા વકીલે જણાવ્યુ હતું કે, તા. ૨૮-૧૨-૨૦૧૭ ના રોજ રાત્રીના સાડા બારથી અઢી વાગ્યાના દરમ્યાન આરોપી મહેશભાઈ રમેશભાઈ પરમારે ફરીયાદીની સગીર વયની દીકરી ભોગ બનનારનું અપહરણ કર્યું હતું અને ઉમેશભાઈ રામજીભાઈ ચાવડાએ તેના મોટર સાયકલમાં બેસાડી બંને આરોપીઓ તેને લઈ ગયા હતા અને ત્યાર બાદ મહેશભાઈ પરમારે તે સગીરાની સાથે જાતીય હુમલો કરી અવાર નવાર શરીર સંબંધ બાંધી જાતીય સતામણી કરી બળાત્કાર કર્યો હતો. જેથી કરીને આઇપીસીની કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨) તથા પોકસો એકટ ૨૦૧૨ ની કલમ ૩(એ), ૪, ૬ તથા ૧૭ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. અને આરોપીઓની ધરપકડ કરી હતી. અને આરોપીઓ વિરૂધ્ધ ગુનો બનતો હોવાનો પુરતો પુરાવો હોય તેમ જણાવીને કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું. જે કેસમાં આરોપી ઉમેશભાઈ રામજીભાઈ ચાવડાના વકીલ હરદેવસિંહ એચ. જાડેજા રોકાયેલ હતા અને તેઓએ રજૂ કરેલા પુરાવા અને તેઓની ધારદાર દલીલને ધ્યાને લઈને સ્પેશ્યલ પોકસો કોર્ટએ આરોપી ઉમેશભાઈ રામજીભાઈ ચાવડાને આ ગુનામાંથી નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કેસમાં આરોપીના વકીલ તરીકે મોરબીના સીનીયર વકીલ હરદેવસિંહ એચ. જાડેજા રોકાયેલ હતા.






Latest News