મોરબીમાં અપહરણ-પોકસોના ગુનામાં પડકાયેલ આરોપીને નિર્દોષ છોડી મુકવા આદેશ
દ્વારકામાં યોજાયેલ શ્રીમદ્ ભગવદ્ ગીતા કંઠપાઠ સ્પર્ધામાં મોરબીનો ૠષિકુમાર પ્રથમ ક્રમે વિજેતા
SHARE
દ્વારકામાં યોજાયેલ શ્રીમદ્ ભગવદ્ ગીતા કંઠપાઠ સ્પર્ધામાં મોરબીનો ૠષિકુમાર પ્રથમ ક્રમે વિજેતા
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ, ગુજરાત પ્રદેશ સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળ તેમજ શ્રી શંકરાચાર્ય સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારકાના સંયુક્તોપક્રમે રાજ્યસ્તરીય શાસ્ત્રીયસ્પર્ધા-૨૦૨૪ નું આયોજન જગદ્ગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજનાં સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું અને ત્યારે મોરબીના બેલા ગામાં પાસે આવેલ ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે માતાજી કનકેશ્વરી દેવીજીએ સ્થાપિત કરેલ શ્રી સદ્ગુરુ સંસ્કૃત મહાવિદ્યાલયનનાં ૠષિકુમારોએ તેમાં ભાગ લીધો હતો તેમા રાજ્યમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા કંઠપાઠ સ્પર્ધામાં ૠષિકુમાર પંડ્યા સુમિતૠષિએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે અને મોરબી જિલ્લા તેમજ સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ વધારેલ છે તે હવે આગામી સમયમાં યોજાનારી અખિલ ભારતીય શાસ્ત્રીય સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા માટે કાશી જશે અને ૠષિકુમાર જાની વિવેકૠષિએ સુભાષિત કંઠપાઠ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને મોરબીનું ગૌરવ વધારેલ છે. આ બન્ને ૠષિકુમારોને કનકેશ્વરી માતાજીએ આશીર્વાદ આપ્યા હતા.