મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

દ્વારકામાં યોજાયેલ શ્રીમદ્ ભગવદ્ ગીતા કંઠપાઠ સ્પર્ધામાં મોરબીનો ૠષિકુમાર પ્રથમ ક્રમે વિજેતા


SHARE







દ્વારકામાં યોજાયેલ શ્રીમદ્ ભગવદ્ ગીતા કંઠપાઠ સ્પર્ધામાં મોરબીનો ૠષિકુમાર પ્રથમ ક્રમે વિજેતા

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ, ગુજરાત પ્રદેશ સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળ તેમજ શ્રી શંકરાચાર્ય સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારકાના સંયુક્તોપક્રમે રાજ્યસ્તરીય શાસ્ત્રીયસ્પર્ધા-૨૦૨૪ નું આયોજન જગદ્ગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજનાં સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું અને ત્યારે મોરબીના બેલા ગામાં પાસે આવેલ ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે માતાજી કનકેશ્વરી દેવીજીસ્થાપિત કરેલ શ્રી સદ્ગુરુ સંસ્કૃત મહાવિદ્યાલયનનાં ૠષિકુમારોએ તેમાં ભાગ લીધો હતો તેમા રાજ્યમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા કંઠપાઠ સ્પર્ધામાં ૠષિકુમાર પંડ્યા સુમિતૠષિએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે અને મોરબી જિલ્લા તેમજ સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ વધારેલ છે તે હવે આગામી સમયમાં યોજાનારી અખિલ ભારતીય શાસ્ત્રીય સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા માટે કાશી જશે અને ૠષિકુમાર જાની વિવેકૠષિએ સુભાષિત કંઠપાઠ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને મોરબીનું ગૌરવ વધારેલ છે. આ બન્ને ૠષિકુમારોને કનકેશ્વરી માતાજીએ આશીર્વાદ આપ્યા હતા.






Latest News