હળવદ શહેર ભાજપ પ્રમુખ તરીકે તપન દવેની નિયુક્તિ થતા કરાયું સન્માન
મોરબીના ભરતનગર ગામે સમસ્ત ઉધરેજા પરિવારનું સ્નેહમિલન યોજાયું
SHARE
મોરબીના ભરતનગર ગામે સમસ્ત ઉધરેજા પરિવારનું સ્નેહમિલન યોજાયું
સમસ્ત ઉધરેજા પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી સ્નેહમિલન અને વિધાર્થી સન્માન સમારોહનું આયોજન કરે છે તેવી જ રીતે ભરતનગર ગામ પાસે આવેલ ભરતવન ફાર્મમાં સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્લે હાઉસથી લઈને માસ્ટર ડિગ્રી સુધીમાં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીનું શિલ્ડ, લેપટોપ, સ્કુટી અને બીજા વિવિધ પારિતોષિક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને તેની સાથોસાથ સ્નેહમિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહના સમગ્ર દાતાઓના પણ સન્માન કરવામાં આવ્યા હતા જેમાં ઉઘરેજા રતિલાલ ગોવિંદભાઈ, ડો. સત્યમ ઊઘરેજા, ઉઘરેજા જેરામભાઈ નાનજીભાઈ, ઉઘરેજા બાબુભાઈ જીણાભાઈ, ઉઘરેજા મુળજીભાઈ શામજીભાઈ અને ઉઘરેજા ચમનભાઈ જેરામભાઈ તેમજ ઉઘરેજા અમૃતલાલ જેરામભાઈનું સન્માન કર્યું હતું અને વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યમાં સફળતાના શિખરો સર કરે તે માટે સહુ કોઈને શુભકામનાઓ પાઠવી હતી.