મોરબીના ભરતનગર ગામે સમસ્ત ઉધરેજા પરિવારનું સ્નેહમિલન યોજાયું
મોરબી જિલ્લા બહુજન સમાજ પાર્ટી દ્વારા અમિત શાહના વિરોધમાં કલેકટરને આવેદન
SHARE
મોરબી જિલ્લા બહુજન સમાજ પાર્ટી દ્વારા અમિત શાહના વિરોધમાં કલેકટરને આવેદન
ભારત સરકારના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા તા.17 ના રોજ ચાલુ શિયાળુ સત્ર દરમિયાન ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકરને "આંબેડકર, આંબેડકર,આંબેડકર, આંબેડકર એક ફેશન બની ગઈ છે" જેવા અવમાનીત શબ્દોનો પ્રયોગ કરવામા આવ્યો હતો. જેથી ભારત ભરમાં ડૉ. બાબા સાહેબના કરોડો અનુયાયીઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે. જેના વિરોધમાં તા.24 ના રોજ મોરબીના કલેકટરને મોરબી જિલ્લા બહુજન સમાજ પાર્ટી દ્વારા આવેદન પત્ર આપીને સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું હતુ. ત્યારે બહુજન સમાજ પાર્ટીના હોદેદારો, બસપા સમર્થકો અને અનુસૂચિત જાતિ,અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગનાં લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.









