મોરબીમાં સહકારથી સમૃદ્ધિ તરફ ૧૧ નવી દૂધ મંડળીઓનું ઉદ્ઘાટન, ત્રણ લાખની સહાય અર્પણ
વાંકાનેરમાં બહુજન સમાજ દ્વારા અમિત શાહના રાજીનામાની માંગ સાથે રેલી યોજાઈ
SHARE
વાંકાનેરમાં બહુજન સમાજ દ્વારા અમિત શાહના રાજીનામાની માંગ સાથે રેલી યોજાઈ
દેશના જુદાજુદા રાજ્યોમાં અમિત શાહના નિવેદનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે વાંકાનેરમાં બહુજન સમાજ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર વિશે અભદ્ર ટિપ્પણી કરવાના આક્ષેપો સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં વિરોધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે કુંભારપરા ચોકમાં આવેલ ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરીને રેલી શરૂ કરવામાં આવી હતી અને વાંકાનેરના માર્ગો ઉપરથી અમિત શાહ હાય હાય નાં નારા સાથે રેલી વાંકાનેર પ્રાંત અધિકારીની કચેરીએ પહોચી હતી અને ત્યાં અમિત શાહના રાજીનામની માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.