મોરબીમાં મારામારીના ગુનામાં આરોપીને નિર્દોષ છોડી મુકવા કોર્ટમાં આદેશ
SHARE
મોરબીમાં મારામારીના ગુનામાં આરોપીને નિર્દોષ છોડી મુકવા કોર્ટમાં આદેશ
મોરબીમાં મારામારીનો ગુનો નોંધાયેલ હતો જેમાં આરોપીને પકડવામાં આવેલ હતો અને તે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો ત્યારે આરોપીના વકીલની દલીલ અને પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કરેલ છે.
મોરબીમાં તા ૧૯/૧૨/૨૦૦૪ ના રોજ ફરિયાદીએ એવી ફરિયાદ કરી હતી કે આરોપીએ તેમના ભાઈના વહુ થતા હોય તેમને છુટાછેડા દીધેલ છે જેનો ખાર રાખી આરોપીએ ધોકા વડે હુમલો કર્યો હતો અને ચાકુ વડે નાક ઉપર ગંભીર ઇજા કરી હતી જે ગુનામાં આરોપીની ધરપકડ કરેલ છે આ કેસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જજ સાહેબની કોર્ટમા ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલ સુખદેવ આર. દેલવાણીયા રોકાયેલ હતા અને આ કેસમાં ફરિયાદી, અન્ય સાહેદો, પંચો, ડોક્ટર તથા તપાસ કરનાર અધિકારીની જુબાની લેવામાં આવેલ હતી અને તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપી તરફે મોરબીના વકીલ સુખદેવ આર.દેલવાણીયા રોકાયેલ હતા