શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત
Breaking news
Morbi Today

મોરબીમાં મારામારીના ગુનામાં આરોપીને નિર્દોષ છોડી મુકવા કોર્ટમાં આદેશ


SHARE









મોરબીમાં મારામારીના ગુનામાં આરોપીને નિર્દોષ છોડી મુકવા કોર્ટમાં આદેશ

મોરબીમાં મારામારીનો ગુનો નોંધાયેલ હતો જેમાં આરોપીને પકડવામાં આવેલ હતો અને તે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો ત્યારે આરોપીના વકીલની દલીલ અને પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કરેલ છે.

મોરબીમાં તા ૧૯/૧૨/૨૦૦૪ ના રોજ ફરિયાદીએવી ફરિયાદ કરી હતી કે આરોપીએ તેમના ભાઈના વહુ થતા હોય તેમને છુટાછેડા દીધેલ છે જેનો ખાર રાખી આરોપીએ ધોકા વડે હુમલો કર્યો હતો અને ચાકુ વડે નાક ઉપર ગંભીર ઇજા કરી હતી જે ગુનામાં આરોપીની ધરપકડ કરેલ છે આ કેસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જજ સાહેબની કોર્ટમા ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલ સુખદેવ આર. દેલવાણીયા રોકાયેલ હતા અને આ કેસમાં ફરિયાદી, અન્ય સાહેદો, પંચો, ડોક્ટર તથા તપાસ કરનાર અધિકારીની જુબાની લેવામાં આવેલ હતી અને તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપી તરફે મોરબીના વકીલ સુખદેવ આર.દેલવાણીયા રોકાયેલ હતા






Latest News