મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાને થતા અન્યાય અને અસુવિધાઓ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત


SHARE







મોરબી જીલ્લાને થતા અન્યાય અને અસુવિધાઓ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી જીલ્લો છેલ્લા કેટલાય વર્ષોથી અસ્તિત્વમાં આવેલ છે.પરંતુ મોરબીવાસીઓને કોઇ સુવિધા મળેલ નથી.મોરબીથી અમદાવાદ કે મુંબઈ જવા માટે કોઈ રેલ્વે સુવિધા નથી.આ શરૂ કરવામા રેલ્વેને કોઈ જાતનો ખર્ચ નથી.હળવદથી દસથી બાર ગાડી ચાલે છે તેમાથી ચારથી પાંચ ટ્રેન વાયા-મોરબી કરવી જોઈએ જેથી પ્રજાનો પ્રશ્ન ઉકેલાય જાય તેમ છે.તેમજ એસટી સુવિધા મોરબી-૨ ખાતે હાઉસીંગ બોર્ડ ખાતે કંન્ટ્રોલ પોઇન્ટ બનાવવો જરૂરી છે.જયા દરરોજ ત્રણ હજાર મુસાફરોની અવરજવર છે.પણ પુછપરછ ઈન્કવાયરીની સુવિધા નથી તેમજ મોરબી જુના બસ સ્ટેન્ડ ખાતે રીઝર્વેશન બારી ચાલુ કરવી જરૂરી છે. પ્રજાને નવા બસ સ્ટેન્ડ ત્રણ કીમી સુધી ધકો ખાવો પડે છે.

મોરબી શહેરની પણ અનેક સમસ્યાઓ છે.જેમા ટ્રાફીક સમસ્યા મુખ્ય છે.તેમા ખાસ કરીને નહેરૂગેઈટ ચોકમાં પાથરણા લારી, ગલ્લાના ખડકલા, ત્રિકોણબાગ, જુના બસ સ્ટેન્ડ રોડ, શાક માર્કેટ ચોક સહીતના મુખ્ય માર્ગો ઉપર આધેધડ લારી ગલ્લા હટાવવા જરૂરી છે.આજે શહેરમાં શોપીંગ કરવા આવતી વ્યકિતને પોતાનુ બાઈક કયા રાખવુ ? તે મોટો પશ્ન છે. વેપારી પોતાનો માલ આડેધડ રસ્તા ઉપર રાખે છે.જે પ્રજાને ધણી જ મુશ્કેલી પડે છે.તો લારી ગલ્લા અને પાથરણા હટાવવા જરૂરી છે.આ બાબતે રાજકારણીએ આગળ આવવુ જોઈએ.જો પોલીસ કોઈ ટ્રાફીકની કામગીરી કરે તો તેને અટકાવી દેવી ન જોઈએ.રાજકારણીઓ વેપારી તથા લોકોએ પણ પોલીસને સાથ સહકાર આપવો જોઈએ.જેથી પોલીસ બદનામ થાય નહી અને પોલીસને ટ્રાફીક બાબતે નિયમોસર છુટ આપવી જોઈએ.મોરબી કરોડો રૂપિયાનો ટેક્ષ ભરે છે છતા પ્રજા સુવિધાથી વંચીત છે.પ્રજાએ ભાજપ સરકારને ખોબલેને ખોબલે મત આપેલ છે.પરંતુ તેના બદલામાં શહેરીજનોમે સારી પ્રાથમીક સુવિધાઓ પણ મળતી નથી જે ધણી જ દુખદ બીના છે.તેમજ મહેન્દ્રનગર ચોકડીએ બ્રીજ બનાવવાનું કામ ગોકળગાયની ગતીએ ચાલી છે.હાલમાં ટ્રાફીક સમસ્યા ઘણી જ થાય છે તો આ બાબતે બ્રીજના કામો તાત્કાલીક પૂર્ણ કરવા જોઈએ તેવી લોકહિતમાં પી.પી.જોષીએ માંગ કરેલ છે.






Latest News