હળવદના જુના અમરાપર ગામની શાળામાં વિસરાતી રમતોનો ઉત્સવ યોજાયો
મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન
SHARE
મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન
મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે અને તા ૬ જાન્યુઆરીના રોજ કથાની પુર્ણાહુતી કરવામાં આવશે
મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા તા. ૩૧ ડિસેમ્બરથી કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીમાં આવેલ ૮ કાયાજી પ્લોટ પાલિકાના કોમ્યુનીટી હોલ ખાતે રઘુવંશી ધામ બનાવીને ત્યાં કથા યોજાશે જે કથા રોજ સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ અને બપોરે ૩:૩૦ થી ૬:૩૦ સુધી ચાલશે અને કથામાં નૃસિંહ પ્રાગટ્ય, ગોવર્ધન પૂજા, વામન પ્રાગટ્ય, રુક્ષ્મણી વિવાહ, રામ પ્રાગટ્ય, સુદામા ચરિત્ર અને કૃષ્ણ પ્રાગટ્ય સહિતના પ્રસંગો ઉજવવામાં આવશે અને તા ૬ ના રોજ કથાની પુર્ણાહુતી થશે ત્યારે દશાંશ યજ્ઞ યોજાશે અને સાંજે ૬:૩૦ કલાકે મોરબીમાં આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે મહાપ્રસાદ યોજાશે.









