મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન


SHARE













મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે અને તા ૬ જાન્યુઆરીના રોજ કથાની પુર્ણાહુતી કરવામાં આવશે

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા તા. ૩૧ ડિસેમ્બરથી કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીમાં આવેલ ૮ કાયાજી પ્લોટ પાલિકાના કોમ્યુનીટી હોલ ખાતે રઘુવંશી ધામ બનાવીને ત્યાં કથા યોજાશે જે કથા રોજ સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ અને બપોરે ૩:૩૦ થી ૬:૩૦ સુધી ચાલશે અને કથામાં નૃસિંહ પ્રાગટ્ય, ગોવર્ધન પૂજા, વામન પ્રાગટ્ય, રુક્ષ્મણી વિવાહ, રામ પ્રાગટ્ય, સુદામા ચરિત્ર અને કૃષ્ણ પ્રાગટ્ય સહિતના પ્રસંગો ઉજવવામાં આવશે અને તા ૬ ના રોજ કથાની પુર્ણાહુતી થશે ત્યારે દશાંશ યજ્ઞ યોજાશે અને સાંજે ૬:૩૦ કલાકે મોરબીમાં આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે મહાપ્રસાદ યોજાશે.






Latest News