ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન


SHARE













મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે અને તા ૬ જાન્યુઆરીના રોજ કથાની પુર્ણાહુતી કરવામાં આવશે

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા તા. ૩૧ ડિસેમ્બરથી કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીમાં આવેલ ૮ કાયાજી પ્લોટ પાલિકાના કોમ્યુનીટી હોલ ખાતે રઘુવંશી ધામ બનાવીને ત્યાં કથા યોજાશે જે કથા રોજ સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ અને બપોરે ૩:૩૦ થી ૬:૩૦ સુધી ચાલશે અને કથામાં નૃસિંહ પ્રાગટ્ય, ગોવર્ધન પૂજા, વામન પ્રાગટ્ય, રુક્ષ્મણી વિવાહ, રામ પ્રાગટ્ય, સુદામા ચરિત્ર અને કૃષ્ણ પ્રાગટ્ય સહિતના પ્રસંગો ઉજવવામાં આવશે અને તા ૬ ના રોજ કથાની પુર્ણાહુતી થશે ત્યારે દશાંશ યજ્ઞ યોજાશે અને સાંજે ૬:૩૦ કલાકે મોરબીમાં આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે મહાપ્રસાદ યોજાશે.






Latest News