મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં ડાભી પરિવારના આંગણે શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન


SHARE







મોરબીમાં ડાભી પરિવારના આંગણે શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન

મોરબીમાં ત્રાજપર પાસે આવેલ અંબિકા સોસાયટીમાં સાવરકુંડલા તાલુકાનાં મોટા જીંજુડા ગામે આવેલ ૐ ભાડેશ્વર સેવા ટ્રસ્ટ સંચાલીત શ્રી ભાડેશ્વર મંદિર અને ભોમેશ્વર આશ્રમના લાભાર્થે શ્રી શિવ પ્રકૃતિ દર્શન શિવકથા એટલે કે શ્રી શિવ મહાપુરાણનું આયોજન કરવામાં આવેલ છે.

શિવજીની અસીમ કૃપાથી મોરબીમાં ડાભી પરિવારના આંગણે સુંદર સંગીતમય શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીમાં ત્રાજપર પાસે આવેલ અંબિકા સોસાયટી ખાતે આ કથા યોજાશે તેમાં ધાર્મિક પ્રસંગનો લાભ લઈ કથાનું રસપાન કરવા દરેક ધર્મપ્રેમીને આયોજકો તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ કથામાં વ્યાસ પીઠ ઉપરથી રાજેશગીરી કે. ગૌસ્વામી (રાજુબાપુ) તેની સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. અને કથાનું દરરોજ જીવંત પ્રસારણ યુટ્યુબની કર્તવ્ય ટીવી ઉપર થશે. અને કથાનો સમય સવારે ૯:૩૦ થી બપોરે ૧૨:૩૦ સુધીનો રહેશે આ કથાની પોથીયાત્રા આગમી શુક્રવાર તા.૩ ના રોજ બપોરે ૪ કલાકે જયેશભાઇ રેવાભાઈ ડાભીના ઘરેથી નીકળશે. અને કથા શનિવાર તા. ૪ થી શરૂ કરવામાં આવશે. અને કથાની પૂર્ણાહૂતિ રવિવાર તા.૧૨ ના રોજ બપોરે ૧:00 કલાકે થશે. કથા દરમિયાન સતિ પ્રાગટ્ય, શિવ-પાર્વતિ વિવાહ, કાર્તિક જન્મ-ગણેશ જન્મ જેવા પ્રસંગો ઉજવાશે. કથાનાં યજમાન જયેશભાઇ રેવાભાઇ ડાભી, વિનોદભાઇ નાથાભાઈ ડાભી, મનુભાઈ સામતભાઇ ડાભી, મહેશભાઇ રેવાભાઈ ડાભી, રમેશભાઈ સામતભાઇ ડાભી, રાજુભાઈ ટીડાભાઇ ડાભી, જલાભાઈ સામતભાઈ ડાભી, તેજસભાઈ રેવાભાઈ ડાભી, ભરતભાઈ નાથાભાઇ ડાભી, કેવલભાઈ અમિતભાઇ ડાભી, મહેશભાઇ નાથાભાઈ ડાભી તેમજ ડાભી પરીવાર છે.






Latest News