સિલેક્શન નહીં ઇલેક્શન નિશ્ચિત: મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝનના વર્તમાન પ્રમુખ બનવા માટે 3 ઉમેદવારો મેદાનમાં મોરબીમાં ઇમ્પેક્ટ ફીના કાયદા હેઠળ ૧૨૪ બાંધકામો રેગ્યુલરાઇઝ કરાયા: ૫૦ બાંધકામોની અરજી મંજૂર મોરબીમાં સ્કૂલ બસના ચાલકે બાઇકને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતના બનાવમાં ૯.૩૩ લાખનું વળતર વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા આદેશ મોરબીમાં યુવાનની હત્યા કરીને પુરવાનો નાશ કરવા લાશને સળગાવી દેવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ વાંકાનેરના ભેરડા નજીક બેલા પથ્થરની ખાણની ઓરડીમાંથી કોપર વાયર સહિત 1.94 લાખના મુદામાલની ચોરીના ગુનામાં ચાર આરોપી પકડાયા મોરબીની સબ જેલમાં મોબાઈલ સહિત પ્રતિબંધિત વસ્તુ ઘુસાડવાના મામલે અજાણ્યા કેદી સહિત તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધાયો હળવદના ગોલાસણ ગામ નજીક ટ્રેક્ટરનો ઓવરટેક કરવા જતા સમયે ડબલ સવારી બાઇક સ્લીપ થતા પાછળ બેઠેલો યુવાન નીચે પટકાતા ટ્રોલીનું ટાયર ફરી જવાથી યુવાનનું મોત મોરબીમાં માવતરના ઘરે રહેતી પરણીતાને પતિ સહિતના છ સાસરિયાંઓ કરિયાવર બાબતે ત્રાસ
Breaking news
Morbi Today

મોરબી : ભૂમિ સુપોષણ એવમ સંરક્ષણ હેતુ રાષ્ટ્ર સ્તરીય જન અભિયાન પ્રાકૃતિક કૃષિ ગોષ્ઠીનું આયોજન


SHARE













મોરબી : ભૂમિ સુપોષણ એવમ સંરક્ષણ હેતુ રાષ્ટ્ર સ્તરીય જન અભિયાન પ્રાકૃતિક કૃષિ ગોષ્ઠીનું આયોજન

સમગ્ર જીવસૃષ્ટીને પોષણ ધરતીમાતા અને ધરતી માતાનું પોષણની જવાબદારી છે તેવા ધરતી પુત્રો દ્વારા દેશભરમાં વર્ષ પ્રતિપદા એટલે કે પૃથ્વીના ઉત્પતિ દિન ૧૩ એપ્રિલ ૨૦૨૧ ના દેશભરના લાખો ધરતીપુત્રોએ ભૂમિપૂજન કરી ઉપરોકત અભિયાનનો પ્રારંભ કરેલ હતો.દેવોત્થાન એકાદશી તા.૨૧ નવેમ્બર ૨૦૨૧ ના રોજ અભિયાનના સમાપન કાર્યક્રમના ભાગરૂપ પ્રાકૃતિક ખેતી કરતા ધરતીપુત્રોની સફળ ગાથાઓને મંચ મળે તેમજ ભારત દેશના મહાનુભાવોના શબ્દોથી આવા ધરતીપુત્રોને  પ્રોત્સાહન મળે તે હેતુથી તા.૨૧-૧૧ ને રવિવારના દિવસે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવૃતજીના સાનિધ્યમાં “પ્રાકૃતિક કૃષિ ગોષ્ઠી”નું  આયોજન કરેલ છે.

જેમાં દેશભરના સંતો મહંતો, મહાનુભાવો, સામાજિક આગેવાનો, વૈજ્ઞાનિકો વિગેરે ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી કરતા તેમજ તેમાં રસ ધરાવતા તમામ ખેડૂત મિત્રોએ તા.૨૧-૧૧ ને રવિવારે સમય ૯:૩૦ થી ૪ પીરાણા પીઠ નારોલ અમદાવાદ ખાતે યોજાશે.જયાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની ઉપયોગી પ્રદર્શની પણ ખેડુતોને જોવા મળશે. કાર્યક્રમમાં વ્યવસ્થા માટે નામ નોંધણી આવશ્યક છે માટે નામ નોંધાવવા મોબાઇલ નંબર ૯૯૨૫૧ ૭૪૬૯૯  ઉપર સંપર્ક કરવો તેમ ભૂમિ સુપોષણ એવમ સંરક્ષણ હેતુ રાષ્ટ્ર સ્તરીય જન અભિયાન સંચાલન સમિતિ (અક્ષય કૃષિ પરિવાર) એ જાહેર આમંત્રણ પાઠવેલ છે.




Latest News