મોરબીના જોધપર ગામ પાસે કેનાલમાંથી ગોંડલના યુવાનનો મૃતદેહ મળ્યો: તપાસ શરૂ
વાંકાનેરના ઢુવા નજીક કોઈ કારણોસર યુવાને ન કરવાનું કરી નાખ્યું
SHARE
વાંકાનેરના ઢુવા નજીક કોઈ કારણોસર યુવાને ન કરવાનું કરી નાખ્યું
વાંકાનેર તાલુકાના ઢુવા ગામે રહેતા યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના એડોરેશન સીરામીકની સામેના ભાગમાં રહેતા અમરજિતકુમાર (22) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
જુગારની રેડ
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ સેન્સો ચોકડી પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા અજય રમેશભાઈ ઝરવરીયા (25) અને રાહુલ જગાભાઈ ઝરવરીયા (22) રહે. બંને તરકીયા તાલુકો વાંકાનેર વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 800 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે









