વાંકાનેરના ઢૂંવા પાસે કારખાનામાં રિવર્સ આવતી કાર હેઠળ કચડાઈ જવાથી  ઇજા પામેલ દોઢ વર્ષની બાળકીનું સારવારમાં મોત મોરબીમાં ગ્રાહકોને હોમ લોન તથા વાહન લોન બાબતે બેન્ક તથા ફાયનાન્સ તરફથી થતી બીન અધિકૃત કનડગત દુર કરો-ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીમાં નાના બાળકોને શૈક્ષિણક કીટ આપીને આઈ શ્રી સોનલમાં નો જન્મોત્સવ ઉજવાયો મોરબી વિહિપ-બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યાના વિરોધમાં કરાયું પૂતળા દહન મોરબી સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્નોને લગતી મુખ્યમંત્રી અને મંત્રીઓને સિરામિક એસો. દ્વારા કરાઇ રજૂઆત હળવદ પીજીવીસીએલ દ્વારા સુરક્ષા જ જિંદગી ના મંત્ર સાથે સેમિનાર યોજાયો શ્રી મનુભાઈ પંચોળી-સોક્રેટીસ સન્માન મેળવતા મોરબીની શ્રી બિલિયા પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષક ગૌતમભાઈ ગોધવિયા મોરબીના ચકમપર ગામનો બનાવ : રીસામણે ગયેલ પત્ની પરત ન આવતી હોય લાગી આવતા યુવાને અનંતની વાટ પકડી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ચાંચાવદરડા નજીક કાર-રીક્ષા વચ્ચે અકસ્માત થતાં એક મહિલાનું મોત: પાંચને ઇજા


SHARE











માળીયા (મી)ના ચાંચાવદરડા નજીક કાર-રીક્ષા વચ્ચે અકસ્માત થતાં એક મહિલાનું મોત: પાંચને ઇજા

માળિયા મીયાણા તાલુકામાં આવતા ચાચાવદરડા ગામેથી માળીયા બાજુ જતા રસ્તે રીક્ષા અને કાર અથડાતા અકસ્માત થયો હતો જેમાં બનાવમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત નીપજયું હતું જેથી તેના ડેડબોડીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવમાં અન્ય પાંચ લોકોને ઇજા થતાં તેને સારવાર માટે મોરબી લાવ્યા હતા જે પૈકીનાં એક મહિલાને વધુ ઇજા હોવાથી તેને રાજકોટ સારવાર માટે લઈ ગયા છે અને આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જો કે, આ બનાવ માળીયા તાલુકા પોલીસની હદમાં બનેલ છે જેથી ત્યાં બનાવની જાણ કરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે માળિયા મીયાણા તાલુકામાં આવતા ચાંચાવદરડા ગામેથી માળીયા બાજુ જવાના રસ્તે આવેલ સોહમ કોલ નજીક રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રીક્ષા અને કાર અથડાતા સર્જાયેલ અકસ્માત બનાવમાં ઘટના સ્થળે ભાવનાબેન સંજયભાઈ વિરડા (42) રહે. સોનગઢ તાલુકો માળીયા મિયાણા વાળાનું મોત નીપજયું હતું. જેથી તેઓના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું તે ઉપરાંત આ અકસ્માત બનાવમાં ધર્મિષ્ઠાબેન યોગેશભાઈ સનારીયા (38)  રહે. રાસંગપર તાલુકો માળીયા મિયાણાને જાઓ પહોંચેલી હોય તેઓને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા તે ઉપરાંત અન્ય ચાર લોકોને ઈજા પહોંચી હતી જેમાં જાનબાઇ સિકંદર ભટ્ટી (26), સાના ઈકબાલભાઈ કટિયા (4), નસીમબેન ઈકબાલભાઈ કટિયા (34) અને ઇરફાન ગફુરભાઈ માલાણી (20) રહે. બધા માળીયા મિયાણા વાળાઓને પણ ઇજાઓ પહોંચતા મોરબીની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા હતા જે પૈકીના સાના ઈકબાલભાઈ કટિયા નામની બાળકીને વધુ સારવાર માટે રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવી છે. આ બનાવ સંદર્ભે મોરબી પોલીસ દ્વારા માળિયા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી માળિયા પોલીસ દ્વારા આ બનાવ સંદર્ભે નોંધ કરી આગળની તપાસ શરૂ કરા છે

દવા પી લેતા સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના ચરાડવાથી દેવળીયા વાળા રસ્તે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા પરિવારના કુસુમબેન બચુભાઈ રાઠવા નામની 16 વર્ષની સગીરા ઝેરી દવા પી ગઈ હતી જેથી તેને મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વાડીબોલાચાલી ઝઘડો થયો હતો જે બાબતનું મનમાં દુઃખ લાગી આવતા કુસુમબેન રાઠવાએ આ પગલું ભરી લીધેલ છે જે બાબતે બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરીને આગળની તપાસ માટે હળવદ પોલીસને બનાવની જાણ કરવામાં આવેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના રહેવાસી જયેશ દેવજીભાઈ મકવાણા નામના યુવાનને મોરબીના ઘૂટું રોડે બાઇક સ્લીપ થવાના બનાવમાં ઇજા થયેલ હતી જેથી અકસ્માત બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવેલ છે.






Latest News