મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ચાંચાવદરડા નજીક કાર-રીક્ષા વચ્ચે અકસ્માત થતાં એક મહિલાનું મોત: પાંચને ઇજા


SHARE







માળીયા (મી)ના ચાંચાવદરડા નજીક કાર-રીક્ષા વચ્ચે અકસ્માત થતાં એક મહિલાનું મોત: પાંચને ઇજા

માળિયા મીયાણા તાલુકામાં આવતા ચાચાવદરડા ગામેથી માળીયા બાજુ જતા રસ્તે રીક્ષા અને કાર અથડાતા અકસ્માત થયો હતો જેમાં બનાવમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત નીપજયું હતું જેથી તેના ડેડબોડીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવમાં અન્ય પાંચ લોકોને ઇજા થતાં તેને સારવાર માટે મોરબી લાવ્યા હતા જે પૈકીનાં એક મહિલાને વધુ ઇજા હોવાથી તેને રાજકોટ સારવાર માટે લઈ ગયા છે અને આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જો કે, આ બનાવ માળીયા તાલુકા પોલીસની હદમાં બનેલ છે જેથી ત્યાં બનાવની જાણ કરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે માળિયા મીયાણા તાલુકામાં આવતા ચાંચાવદરડા ગામેથી માળીયા બાજુ જવાના રસ્તે આવેલ સોહમ કોલ નજીક રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રીક્ષા અને કાર અથડાતા સર્જાયેલ અકસ્માત બનાવમાં ઘટના સ્થળે ભાવનાબેન સંજયભાઈ વિરડા (42) રહે. સોનગઢ તાલુકો માળીયા મિયાણા વાળાનું મોત નીપજયું હતું. જેથી તેઓના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું તે ઉપરાંત આ અકસ્માત બનાવમાં ધર્મિષ્ઠાબેન યોગેશભાઈ સનારીયા (38)  રહે. રાસંગપર તાલુકો માળીયા મિયાણાને જાઓ પહોંચેલી હોય તેઓને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા તે ઉપરાંત અન્ય ચાર લોકોને ઈજા પહોંચી હતી જેમાં જાનબાઇ સિકંદર ભટ્ટી (26), સાના ઈકબાલભાઈ કટિયા (4), નસીમબેન ઈકબાલભાઈ કટિયા (34) અને ઇરફાન ગફુરભાઈ માલાણી (20) રહે. બધા માળીયા મિયાણા વાળાઓને પણ ઇજાઓ પહોંચતા મોરબીની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા હતા જે પૈકીના સાના ઈકબાલભાઈ કટિયા નામની બાળકીને વધુ સારવાર માટે રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવી છે. આ બનાવ સંદર્ભે મોરબી પોલીસ દ્વારા માળિયા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી માળિયા પોલીસ દ્વારા આ બનાવ સંદર્ભે નોંધ કરી આગળની તપાસ શરૂ કરા છે

દવા પી લેતા સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના ચરાડવાથી દેવળીયા વાળા રસ્તે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા પરિવારના કુસુમબેન બચુભાઈ રાઠવા નામની 16 વર્ષની સગીરા ઝેરી દવા પી ગઈ હતી જેથી તેને મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વાડીબોલાચાલી ઝઘડો થયો હતો જે બાબતનું મનમાં દુઃખ લાગી આવતા કુસુમબેન રાઠવાએ આ પગલું ભરી લીધેલ છે જે બાબતે બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરીને આગળની તપાસ માટે હળવદ પોલીસને બનાવની જાણ કરવામાં આવેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના રહેવાસી જયેશ દેવજીભાઈ મકવાણા નામના યુવાનને મોરબીના ઘૂટું રોડે બાઇક સ્લીપ થવાના બનાવમાં ઇજા થયેલ હતી જેથી અકસ્માત બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવેલ છે.






Latest News