મોરબીના વિકાસ પાર્કમાં શ્યામ દરબારનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીના વિકાસ પાર્કમાં શ્યામ દરબારનો કાર્યક્રમ યોજાયો
મોરબીના વિકાસ પાર્કમાં શ્યામ દરબારના કાર્યક્રમમાં એકતા એજ લક્ષ્ય સંગઠનને વિશેષ અતિથિ તારીખે આમંત્રણ મળ્યું હતું છેલ્લા ત્રણ વર્ષથી પહેલી જાન્યુઆરીએ સનાતનની વાતાવરણ સાથે ત્યાં ઉજવણી કરવામાં આવે છે તેમાં ભગવાન ખાટુ શ્યામ ના ગીતો તથા ખાટુ શ્યામની જ્યોત અને દરબાર પણ ભરાય છે અને સાથે પ્રસાદની વ્યવસ્થા હોય છે. આ તકે એકતા એજ લક્ષ્ય સંગઠનના સંસ્થાપક હિન્દુ ભગીરથસિંહ રાઠોડ હાજર રહ્યા હતા અને અને તેમણે વક્તવ્ય આપ્યું હતું જેમાં જણાવ્યુ હતું કે, હિન્દુ છે તો તે આપણા ભાઈ છે અને કોઈપણ દીકરી લવ જીહાદ જેવા ષડયંત્રમાં ન ફસાય તેવી દિશામાં સહુ કોઈએ કામ કરવાની જરૂર છે. આ તકે મોરબી જિલ્લા ટીમના ડો. શરદભાઈ, રાજુભાઈ ઠક્કર, જયેન્દ્રભાઈ, સંદીપભાઈ પટેલ, પંકજભાઈ, સત્યજીતસિંહ, ધર્મેન્દ્રભાઈ પટેલ, રસિકભાઈ, શ્યામભાઈ , કિશન ભાઈ તથા મધુસુદનભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.