મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

હળવદના નવા માલણીયાદ ગામે વાડી પાસે જેસીબી ચલાવવાની ના પાડતાં દંપતીને ચાર શખ્સોએ માર માર્યો


SHARE











હળવદના નવા માલણીયાદ ગામે વાડી પાસે જેસીબી ચલાવવાની ના પાડતાં દંપતીને ચાર શખ્સોએ માર માર્યો

હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામની સીમમાં યુવાનની વાડીના સેઢા પાસે જેસીબીથી રસ્તા ઉપર કામ કરતા હતા ત્યારે યુવાને જીસીબી વાડીની વાડ પાસે ચલાવવાની ના પાડી હતી જે બાબતનો ખા રાખીને બે શખ્સોએ તેને ગાળો આપી હતી અને બે શખ્સ દ્વારા જપાજપી કરવામાં આવી હતી ત્યારબાદ જેસીબી મશીનનું બકેટ નીચે કરવામાં આવતા યુવાનના પત્ની સહિત બે વ્યક્તિઓને ઇજા થઇ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે ભોગ બનેલ યુવાને ચાર શખ્સો સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવા માલણીયા ગામે રહેતા હસમુખભાઈ જીવણભાઈ પરમાર (42)હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાંતિલાલ દલસુખભાઈ પરમાર, ચેતનભાઇ દલસુખભાઈ પરમાર, પ્રભુભાઈ ગોરધનભાઈ ચાવડા અને ભગવાનભાઈ મૂળજીભાઈ પરમાર રહે. બધા નવા માલણીયાદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેની વાડીના સેઢા પાસે રસ્તા ઉપર જેસીબી મશીનથી કામ ચાલુ હતું જે જેસીબી મશીનના ચાલકને ફરિયાદી યુવાને તેમની વાડીની વાતરફ મશીન નહીં ચલાવવા માટે કહ્યું હતું જેથી કરીને આરોપી કાંતિલાલ અને ચેતનભાઇએ ફરિયાદી યુવાનને ગાળો આપી હતી અને પ્રભુભાઈ તથા ભગવાનભાઈએ ફરિયાદી યુવાન સાથે જપજપી કરી હતી ત્યારબાદ જેસીબીના ચાલકને નીચે ઉતારીને કાંતિલાલ પરમારે જેસીબી મશીન ચલાવ્યું હતું અને પોતે જાણતો હતો કે, જેસીબીનું બકેટ નીચે આવવાથી નીચે ઉભેલા વ્યક્તિઓને જા થાય તેમ છે તેમ છતાં પણ તેને જેસીબીનું બકેટ નીચે લઈ આવીને ત્યાં ઉભેલા સાહેદ અક્ષય તથા ફરિયાદીના પત્નીને બકેટ વડે ઇજા કરી હતી અને ફરિયાદીને આડેધડ માર મારીને ઇજા કરી હતી જેથી કરીને ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News