મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

હળવદમાં આધેડની હત્યા મામલે તેના પાડોશી સામે નોંધાયો ગુનો


SHARE











હળવદમાં આધેડની હત્યા મામલે તેના પાડોશી સામે નોંધાયો ગુનો

હળવદમાં શનિવારે મોડીરાત્રે હત્યાનો બનાવ બન્યો છે અને તિક્ષ્ણ હથિયારના ઘા મારીને આધેડની હત્યા કરવામાં આવી છે જેથી કરીને હળવદ પોલીસ બનાવ સ્થળે પહોચી છે અને મૃતદેહને પીએમમાં ખસેડીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે અને હત્યાના આ બનાવની અંદર હાલમાં મૃતકના પિતરાઇ ભાઇની ફરિયાદ લઈને મૃતકના પાડોશીની સામે હાલમાં હત્યાનો હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

મુળ સાપકડાના જેમાભાઈ રૂપાભાઈ નંદેસરીયા જાતે કોળી જે હાલમાં મોરબી જિલ્લાના હળવદ શહેર ની અંદર આવેલ પંચમુખી ઢોરા વિસ્તારમાં રહે છે અને તે બે અપરણિત ભાઈઓ તેની માતા સાથે રહેતા હતા અને થોડા દિવસો પહેલાં જ તેના માતાનું મૃત્યુ થયું હતું અને ત્યારબાદ શનિવારે મોડીરાત્રે તિક્ષ્ણ હથિયારના ઘા મારી જેમાભાઈ કોળીની હત્યા કરવામાં આવી છે આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને હળવદ પીઆઈ એ.એ. જાડેજા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લાશને પીએમ માટે ખસેડી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ બનાવ બાદ બાજુમાં રહેતાં પરીવારના લોકો ત્યાં હાજર ન હોવાથી તેના ઉપર હત્યા કરી હોવાની શંકા સેવાઇ રહી હતી અને હાલમાં હત્યાના આ બનાવમાં મૃતકના પિતરાઇ ભાઇ પ્રવીણભાઈની ફરિયાદ લઈને પોલીસે વિક્રમભાઈ ચતુરભાઈ કોળી સામે હત્યાનો ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે જો કે આરોપી પકડાયા બાદ તેણે કયા કારણોસર જેમાભાઈની હત્યા કરી છે તેની માહિતી સામે આવશે તેવુ હાલમાં પોલીસ જણાવી રહી છે






Latest News