તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

હળવદમાં આધેડની હત્યા મામલે તેના પાડોશી સામે નોંધાયો ગુનો


SHARE











હળવદમાં આધેડની હત્યા મામલે તેના પાડોશી સામે નોંધાયો ગુનો

હળવદમાં શનિવારે મોડીરાત્રે હત્યાનો બનાવ બન્યો છે અને તિક્ષ્ણ હથિયારના ઘા મારીને આધેડની હત્યા કરવામાં આવી છે જેથી કરીને હળવદ પોલીસ બનાવ સ્થળે પહોચી છે અને મૃતદેહને પીએમમાં ખસેડીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે અને હત્યાના આ બનાવની અંદર હાલમાં મૃતકના પિતરાઇ ભાઇની ફરિયાદ લઈને મૃતકના પાડોશીની સામે હાલમાં હત્યાનો હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

મુળ સાપકડાના જેમાભાઈ રૂપાભાઈ નંદેસરીયા જાતે કોળી જે હાલમાં મોરબી જિલ્લાના હળવદ શહેર ની અંદર આવેલ પંચમુખી ઢોરા વિસ્તારમાં રહે છે અને તે બે અપરણિત ભાઈઓ તેની માતા સાથે રહેતા હતા અને થોડા દિવસો પહેલાં જ તેના માતાનું મૃત્યુ થયું હતું અને ત્યારબાદ શનિવારે મોડીરાત્રે તિક્ષ્ણ હથિયારના ઘા મારી જેમાભાઈ કોળીની હત્યા કરવામાં આવી છે આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને હળવદ પીઆઈ એ.એ. જાડેજા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લાશને પીએમ માટે ખસેડી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ બનાવ બાદ બાજુમાં રહેતાં પરીવારના લોકો ત્યાં હાજર ન હોવાથી તેના ઉપર હત્યા કરી હોવાની શંકા સેવાઇ રહી હતી અને હાલમાં હત્યાના આ બનાવમાં મૃતકના પિતરાઇ ભાઇ પ્રવીણભાઈની ફરિયાદ લઈને પોલીસે વિક્રમભાઈ ચતુરભાઈ કોળી સામે હત્યાનો ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે જો કે આરોપી પકડાયા બાદ તેણે કયા કારણોસર જેમાભાઈની હત્યા કરી છે તેની માહિતી સામે આવશે તેવુ હાલમાં પોલીસ જણાવી રહી છે






Latest News