ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ઝઘડા કે વિવાદનો અંત લાવીને સમાજને એક કરવાનું કલાકારોએ કામ કરવું જોઈએ: હાસ્ય કલાકાર હકાભા ગઢવી


SHARE













ઝઘડા કે વિવાદનો અંત લાવીને સમાજને એક કરવાનું કલાકારોએ કામ કરવું જોઈએ: હાસ્ય કલાકાર હકાભા ગઢવી

હાલમાં ગુજરાતના બે લોકસાહિત્યકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લામાં રહેતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ કહ્યું છે કે “સ્ટેજ ઉપર કલાકારો ઝઘડા કરે અને વિવાદ કરે તે યોગ્ય ન કહેવાય અને સમાજને એક કરવાનું કામ કલાકારે કરવું જોઈએ તેવી અપીલ તેમના દ્વારા કરવામાં આવી છે.

હાલમાં જુદા જુદા વિષયનો લઈને કલાકારો વચ્ચે અનેક પ્રકારના વિવાદો ચાલી રહ્યા છે તેવામાં લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને બ્રીજરાજદાન ગઢવી વચ્ચેનો વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે અને છેલ્લે યોજાયેલ લોક ડાયરામાં દેવાયત ખવડે જે સ્ટેજ ઉપરથી વાત કરી હતી તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આગામી દિવસોમાં બ્રીજરાજદાન ગઢવીનો પણ લોકડાયરો યોજવાનો છે ત્યારે આનો જવાબ લોક ડાયરાના માધ્યમથી જ આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. ત્યારે મોરબી જિલ્લાના હળવદ શહેરમાં રહેતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ જણાવ્યું હતું કે “કલાકારો અંદરો અંદર લડે, સ્ટેજ ઉપર લડે તે યોગ્ય ન કહેવાય જેથી કરીને કોઈ પણ ઝઘડા હોય કે વિવાદ હોય તો તેનો અંત લાવવો જોઈએ અને સમાજને એક કરવા માટેનું કામ કલાકારોએ કરવું જોઈએ” તેવી અપીલ તેઓએ કરેલ છે વધુમાં તેમણે એવી પણ ટકોર કરી છે કે “લાયકાત વગરના કલાકારોને સ્ટેજ ન આપવું જોઈએ” અને તેના માટે થઈને સમાજે ધ્યાન રાખવું જોઈએ. આટલું જ નહીં તેમણે તો એવું પણ કહ્યું હતું કે, “કલાકારોના બોલવાથી ઘણી વખત કુટુંબ કે ભાઈઓમાં થતા ઝઘડા અને વિવાદ પણ પૂરા થઇ જાય છે ત્યારે આવા સમયે કલાકારો વચ્ચે ઝઘડા થાય અને સ્ટેજ ઉપરથી નિવેદનો આપવામાં આવે તે યોગ્ય ન કહેવાય.






Latest News