મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

ઝઘડા કે વિવાદનો અંત લાવીને સમાજને એક કરવાનું કલાકારોએ કામ કરવું જોઈએ: હાસ્ય કલાકાર હકાભા ગઢવી


SHARE













ઝઘડા કે વિવાદનો અંત લાવીને સમાજને એક કરવાનું કલાકારોએ કામ કરવું જોઈએ: હાસ્ય કલાકાર હકાભા ગઢવી

હાલમાં ગુજરાતના બે લોકસાહિત્યકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લામાં રહેતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ કહ્યું છે કે “સ્ટેજ ઉપર કલાકારો ઝઘડા કરે અને વિવાદ કરે તે યોગ્ય ન કહેવાય અને સમાજને એક કરવાનું કામ કલાકારે કરવું જોઈએ તેવી અપીલ તેમના દ્વારા કરવામાં આવી છે.

હાલમાં જુદા જુદા વિષયનો લઈને કલાકારો વચ્ચે અનેક પ્રકારના વિવાદો ચાલી રહ્યા છે તેવામાં લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને બ્રીજરાજદાન ગઢવી વચ્ચેનો વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે અને છેલ્લે યોજાયેલ લોક ડાયરામાં દેવાયત ખવડે જે સ્ટેજ ઉપરથી વાત કરી હતી તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આગામી દિવસોમાં બ્રીજરાજદાન ગઢવીનો પણ લોકડાયરો યોજવાનો છે ત્યારે આનો જવાબ લોક ડાયરાના માધ્યમથી જ આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. ત્યારે મોરબી જિલ્લાના હળવદ શહેરમાં રહેતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ જણાવ્યું હતું કે “કલાકારો અંદરો અંદર લડે, સ્ટેજ ઉપર લડે તે યોગ્ય ન કહેવાય જેથી કરીને કોઈ પણ ઝઘડા હોય કે વિવાદ હોય તો તેનો અંત લાવવો જોઈએ અને સમાજને એક કરવા માટેનું કામ કલાકારોએ કરવું જોઈએ” તેવી અપીલ તેઓએ કરેલ છે વધુમાં તેમણે એવી પણ ટકોર કરી છે કે “લાયકાત વગરના કલાકારોને સ્ટેજ ન આપવું જોઈએ” અને તેના માટે થઈને સમાજે ધ્યાન રાખવું જોઈએ. આટલું જ નહીં તેમણે તો એવું પણ કહ્યું હતું કે, “કલાકારોના બોલવાથી ઘણી વખત કુટુંબ કે ભાઈઓમાં થતા ઝઘડા અને વિવાદ પણ પૂરા થઇ જાય છે ત્યારે આવા સમયે કલાકારો વચ્ચે ઝઘડા થાય અને સ્ટેજ ઉપરથી નિવેદનો આપવામાં આવે તે યોગ્ય ન કહેવાય.






Latest News