અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો મોરબીમાં આવેલ શિશુમંદિર ખાતે અભ્યાસ વર્ગ યોજાયો
SHARE
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો મોરબીમાં આવેલ શિશુમંદિર ખાતે અભ્યાસ વર્ગ યોજાયો
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દર ત્રણ વર્ષે કાર્યકર્તા અભ્યાસ વર્ગ યોજવામાં આવે છે જેના ભાગરૂપે બે દિવસીય અભ્યાસ વર્ગનું સૌરાષ્ટ્ર સંભાગ: 1 ના મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, રાજકોટ, જામનગર,દ્વારકા વગેરે જિલ્લાના અભ્યાસ વર્ગનું આયોજન મોરબીના સરસ્વતી શિશુમંદિર ખાતે કરવામાં આવ્યું હતું
જેમાં ગુજરાત પ્રાંતના મહામંત્રી પરેશભાઈ પટેલ, પ્રાંત પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકી પ્રાંત સહ સંગઠનમંત્રી રમેશભાઈ ચૌધરી હિતેશભાઈ ગોપાણી પ્રાંત સંગઠન મંત્રી, રમેશભાઈ ગાગલ સૌરાષ્ટ્ર સંભાગ સંગઠન મંત્રી વગેરે હાજર રહ્યા હતા અને ત્યારે વિવિધ વિષયો રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે બાદ વિકસિત ભારતના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા વિષે વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને બાદમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની સ્થાપનાથી શરૂ કરી કેજીથી પીજી સુધી કામ કરતા અને નવ સંવર્ગો ધરાવતા સંગઠનની કાર્યપધ્ધતિ વિશે વિસ્તૃત ચર્ચા કરી બૌદ્ધિક રજૂ કર્યું હતું. અને છેલ્લે મીડિયા મેનેજમેન્ટ જેમાં પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોસીયલ મીડિયાનો ઉચિત ઉપયોગ મહાસંઘ દ્વારા કરવામાં આવતા તમામ કાર્યક્રમો તમામ મીડિયામાં સેર કરી શિક્ષક અને સમાજ સુધી વાતો પહોંચાડવી વગેરે વિષયો વિશે વાત કરી હતી,