મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર મહાપાલિકાનું બુલડોઝર દબાણ ઉપર ફરી વળ્યું 


SHARE













મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર મહાપાલિકાનું બુલડોઝર દબાણ ઉપર ફરી વળ્યું 

મોરબીના મુખ્યમાર્ગોની આસપાસમાં છેલ્લા વર્ષોમાં કરવામાં આવેલ દબાણોને ધડોધડ દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુરુવારે મહાપાલિકાની ટીમ રેલ્વે સ્ટેશન રોડ ઉપર પહોચી હતી અને ત્યાં કરવામાં આવેલા દબાણો હટાવવામાં આવ્યા હતા ત્યારે મહાપાલિકાનું બુલડોઝર દબાણ ઉપર ફરી વળ્યું  હતું.

મોરબીના માર્ગોને પહોળા જયારે કરવામાં આવે ત્યારે પરંતુ હાલમાં જે રોડ રસ્તા છે તેના ઉપર કરવામાં આવેલા કાચ્ચાં અને પાકા દબાનોને દૂર કરવા માટેનું મહા અભિયાન મહાપાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે તેના ભાગ રૂપે છેલ્લા દિવસોમાં પરાબજાર, ગાંધીચોક, શનાળા રોડ વિગેરે સ્થળે દબાણ હટાવવા માટેની ઝુંબેશ કરવામાં આવી હતી અને કોઇની પણ શરમ રાખ્યા વગર હાલમાં દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુરુવારે મહાપાલિકાની ટીમ રેલ્વે સ્ટેશન રોડ ઉપર જેસીબી સાથે પહોંચી હતી. રોડ સાઇડમાં બનાવવામાં આવેલ ઓટા, છાપરા, બોર્ડ વિગેરેના દબાનોને દૂર કરવામાં આવ્યા હતા આ સમયે કેટલા વેપારીઓ મહાપાલિકાના જેસીબીને જોઈને જાતે જ પોતાના દબાણો દૂર કરી લીધા હતા. અત્રે ઉલેખનીય છે કે, મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા રોડ ઉપરના તમામ દબાનોને સાફ કરવામાં આવશે તેના સંકેત આપી જ દેવામાં આવેલ છે ત્યારે રોડ સાઈડમાં કે પછી પાલિકાની જગ્યામાં કોઈપણ પ્રકારનું દબાણ કરનારા લોકોને વિલંબ કર્યા વગર તેના દબાણો જાતે જ દૂર કરી લેવા જોઈ તે તો જ તેઓને ઓછામાં ઓછું નુકશાન થશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.






Latest News