મોરબી સમસ્ત જૈન મહિલા મંડળોનો ઋષભ પ્રશ્નમંચ યોજાયો, પૌષધ શાળાના ભાવના મંડળની ટીમ પ્રથમ ટંકારાના મીતાણા ડેમમાંથી કાયમી વાલ્વ મૂકીને નદીમાં પાણી છોડવાની ભૂતકોટડા ગ્રામ પંચાયતે કરી માંગ મોરબીના પંચાસર રોડે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી 15 જેટલા ખેડૂતોના ખેતરમાં ભરાઈ જતાં હાલાકી રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હળવદમાંથી પાણીપુરીના તીખા-મીઠા પાણી સહિત ૮ નમૂના લેવાયા હળવદમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ માટે 23 અને તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખ માટે 25 મીએ ચૂંટણી મોરબીમાં વેચાણ કરારથી યુવાનને ટ્રક આપી દીધા બાદ પાછો પડાવી લઈને 21.37 લાખની છેતરપિંડી, ખંડણી અને વિશ્વાસઘાતના ગુનામાં આરોપી ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર મહાપાલિકાનું બુલડોઝર દબાણ ઉપર ફરી વળ્યું 


SHARE











મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર મહાપાલિકાનું બુલડોઝર દબાણ ઉપર ફરી વળ્યું 

મોરબીના મુખ્યમાર્ગોની આસપાસમાં છેલ્લા વર્ષોમાં કરવામાં આવેલ દબાણોને ધડોધડ દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુરુવારે મહાપાલિકાની ટીમ રેલ્વે સ્ટેશન રોડ ઉપર પહોચી હતી અને ત્યાં કરવામાં આવેલા દબાણો હટાવવામાં આવ્યા હતા ત્યારે મહાપાલિકાનું બુલડોઝર દબાણ ઉપર ફરી વળ્યું  હતું.

મોરબીના માર્ગોને પહોળા જયારે કરવામાં આવે ત્યારે પરંતુ હાલમાં જે રોડ રસ્તા છે તેના ઉપર કરવામાં આવેલા કાચ્ચાં અને પાકા દબાનોને દૂર કરવા માટેનું મહા અભિયાન મહાપાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે તેના ભાગ રૂપે છેલ્લા દિવસોમાં પરાબજાર, ગાંધીચોક, શનાળા રોડ વિગેરે સ્થળે દબાણ હટાવવા માટેની ઝુંબેશ કરવામાં આવી હતી અને કોઇની પણ શરમ રાખ્યા વગર હાલમાં દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુરુવારે મહાપાલિકાની ટીમ રેલ્વે સ્ટેશન રોડ ઉપર જેસીબી સાથે પહોંચી હતી. રોડ સાઇડમાં બનાવવામાં આવેલ ઓટા, છાપરા, બોર્ડ વિગેરેના દબાનોને દૂર કરવામાં આવ્યા હતા આ સમયે કેટલા વેપારીઓ મહાપાલિકાના જેસીબીને જોઈને જાતે જ પોતાના દબાણો દૂર કરી લીધા હતા. અત્રે ઉલેખનીય છે કે, મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા રોડ ઉપરના તમામ દબાનોને સાફ કરવામાં આવશે તેના સંકેત આપી જ દેવામાં આવેલ છે ત્યારે રોડ સાઈડમાં કે પછી પાલિકાની જગ્યામાં કોઈપણ પ્રકારનું દબાણ કરનારા લોકોને વિલંબ કર્યા વગર તેના દબાણો જાતે જ દૂર કરી લેવા જોઈ તે તો જ તેઓને ઓછામાં ઓછું નુકશાન થશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.






Latest News