મોરબીની તપોવન વિદ્યાલય પરિવાર દ્વારા શહિદ વીર જવાનના પરિવારને કરાઇ આર્થિક મદદ મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરરજો આપવાની માંગ ભૂકંપથી ખંઢેર બની ગયેલ મોરબીની એલ.ઇ. કોલેજ અંદાજે 108 કરોડના ખર્ચ રજવાડાએ આપેલ મહેલ જેવી મૂળ સ્થિતિમાં લઈ આવવામાં આવે તેવા સંકેત મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોની તેમજ વંચિત વર્ગની દીકરીઓના ૧૦ માં સમૂહ લગ્નોત્સવનું આયોજન આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમ કરવામાં આવ્યો તેરા તુજકો અર્પણ: મોરબીમાં DYSP પી.એ.ઝાલાના હસ્તે લોકોને 12.07 લાખનો મુદામાલ પરત અપાયો મોરબી કોર્પોરેશન ડે ની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કરાયું ટંકારા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સ્ટાફની ભરતી કરાશે; અરજી કરવાનું શરૂ
Breaking news
Morbi Today

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર મહાપાલિકાનું બુલડોઝર દબાણ ઉપર ફરી વળ્યું 


SHARE











મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર મહાપાલિકાનું બુલડોઝર દબાણ ઉપર ફરી વળ્યું 

મોરબીના મુખ્યમાર્ગોની આસપાસમાં છેલ્લા વર્ષોમાં કરવામાં આવેલ દબાણોને ધડોધડ દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુરુવારે મહાપાલિકાની ટીમ રેલ્વે સ્ટેશન રોડ ઉપર પહોચી હતી અને ત્યાં કરવામાં આવેલા દબાણો હટાવવામાં આવ્યા હતા ત્યારે મહાપાલિકાનું બુલડોઝર દબાણ ઉપર ફરી વળ્યું  હતું.

મોરબીના માર્ગોને પહોળા જયારે કરવામાં આવે ત્યારે પરંતુ હાલમાં જે રોડ રસ્તા છે તેના ઉપર કરવામાં આવેલા કાચ્ચાં અને પાકા દબાનોને દૂર કરવા માટેનું મહા અભિયાન મહાપાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે તેના ભાગ રૂપે છેલ્લા દિવસોમાં પરાબજાર, ગાંધીચોક, શનાળા રોડ વિગેરે સ્થળે દબાણ હટાવવા માટેની ઝુંબેશ કરવામાં આવી હતી અને કોઇની પણ શરમ રાખ્યા વગર હાલમાં દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુરુવારે મહાપાલિકાની ટીમ રેલ્વે સ્ટેશન રોડ ઉપર જેસીબી સાથે પહોંચી હતી. રોડ સાઇડમાં બનાવવામાં આવેલ ઓટા, છાપરા, બોર્ડ વિગેરેના દબાનોને દૂર કરવામાં આવ્યા હતા આ સમયે કેટલા વેપારીઓ મહાપાલિકાના જેસીબીને જોઈને જાતે જ પોતાના દબાણો દૂર કરી લીધા હતા. અત્રે ઉલેખનીય છે કે, મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા રોડ ઉપરના તમામ દબાનોને સાફ કરવામાં આવશે તેના સંકેત આપી જ દેવામાં આવેલ છે ત્યારે રોડ સાઈડમાં કે પછી પાલિકાની જગ્યામાં કોઈપણ પ્રકારનું દબાણ કરનારા લોકોને વિલંબ કર્યા વગર તેના દબાણો જાતે જ દૂર કરી લેવા જોઈ તે તો જ તેઓને ઓછામાં ઓછું નુકશાન થશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.






Latest News