મોરબીની તપોવન વિદ્યાલય પરિવાર દ્વારા શહિદ વીર જવાનના પરિવારને કરાઇ આર્થિક મદદ મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરરજો આપવાની માંગ ભૂકંપથી ખંઢેર બની ગયેલ મોરબીની એલ.ઇ. કોલેજ અંદાજે 108 કરોડના ખર્ચ રજવાડાએ આપેલ મહેલ જેવી મૂળ સ્થિતિમાં લઈ આવવામાં આવે તેવા સંકેત મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોની તેમજ વંચિત વર્ગની દીકરીઓના ૧૦ માં સમૂહ લગ્નોત્સવનું આયોજન આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમ કરવામાં આવ્યો તેરા તુજકો અર્પણ: મોરબીમાં DYSP પી.એ.ઝાલાના હસ્તે લોકોને 12.07 લાખનો મુદામાલ પરત અપાયો મોરબી કોર્પોરેશન ડે ની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કરાયું ટંકારા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સ્ટાફની ભરતી કરાશે; અરજી કરવાનું શરૂ
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવા(કુબા) વિસ્તારમાં નવરંગ માંડવો યોજાશે: ધૂળકોટમાં કાલે સંતવાણી, હળવદમાં આજે લોક ડાયરો


SHARE











વાંકાનેરના તીથવા(કુબા) વિસ્તારમાં નવરંગ માંડવો યોજાશે: ધૂળકોટમાં કાલે સંતવાણી, હળવદમાં આજે લોક ડાયરો

વાંકાનેરના તીથવા(કુબા) વિસ્તારમાં નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે અને સીમાડાવાળા મેલડી માતાજી તથા ચામુંડા માતાજીના સાનિધ્યમાં આ ધાર્મિક કાર્યક્રમ યોજાશે જેથી કરીને ધર્મપ્રેમી લોકોને તેનો લાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

વાંકાનેરમાં શ્રી સીમાડાવાળા મેલડી માતાજી તથા ચામુંડા માતાજીના સાનિધ્યમાં સમસ્ત પંચ દ્વારા નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા 17 ને શુક્રવારે તીથવા(કુબા) વિસ્તારમાં આવેલ શ્રી સીમાડા વાળા મેલડી મા તથા ચામુંડા માતાજીના મંદિરે માંડવો યોજાશે. માંડવામાં સવારે 9:00 વાગ્યે થાંભલી રોપ, બપોરે 12:00 વાગ્યે મહાપ્રસાદ, સાંજે 4:00 વાગ્યે માતાજીનું ફુલેકુ, સાંજે 6:45 વાગ્યે આરતી અને ત્યાર બાદ સાંજે 7:00 વાગ્યે મહાપ્રસાદ યોજાશે. આ માંડવામાં રાવળદેવ હરેશભાઈ પનારા, ટંકારા સાઉન્ડ સિસ્ટમના સથવારે રમઝટ બોલાવશે. અને આ માંડવાનું ચામુંડા વિઝન દ્વારા લાઈવ વીડિયો પ્રસારણ કરવામાં આવશે. અને તા 18 ના રોજ સવારે 9:15 વાગ્યે થાંભલી વધાવવામાં આવશે. તેવું આયોજકોએ જણાવ્યુ છે.

ધૂળકોટમાં કાલે શુક્રવારે સંતવાણી
ધૂળકોટ ગામે આવેલ વાનરવીર હનુમાનજી આશ્રમે ખાતે કાલે તા.17 ને શુક્રવારે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાતે 9 :00 કલાકે બજરંગદાસ બાપાની 48મી તિથિ નિમિત્તે ભવ્ય સંતવાણી યોજાશે. જેમાં હસમુખગીરી ગૌસ્વામી અને રઘુવીરસિંહ ઝાલા દ્વારા ધૂન, ભજન અને સંતવાણીની જમાવટ કરવામાં આવશે જેથી કરીને ધર્મપ્રેમી જનતાને તેનો લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે.

અન્નક્ષેત્રના લાભાર્થે આજે લોક ડાયરો યોજાશે
હળવદમાં બાપા સીતારામ મઢુલી અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે તેના લાભાર્થે તા 16 ને ગુરુવારના રોજ રાત્રે 9:30 વાગ્યે હળવદમાં આવેલ વિનોબા ગ્રાઉન્ડ દશા મા મંદિર પાસે ભવ્ય લોક ડાયરાનું આયોજન કર્યું છે જેમાં લોક ડાયરાના કલાકાર અલ્પાબેન પરમાર, જયમંતભાઈ દવે, રાવીન્દ્રભાઈ સોલંકી, પી.વી.જાદવ, હાર્દિક ઠાકર જમાવટ કરશે.






Latest News