મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મનરેગા યોજના અન્વયે સેમિનાર યોજાયો


SHARE

















વાંકાનેરમાં મનરેગા યોજના અન્વયે સેમિનાર યોજાયો

વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો માટે માર્ગદર્શનલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ.ગઢવી દ્વારા ખેડૂતોને વિવિધ યોજનાકીય લાભો વિશે ઊંડી સમજ આપવામાં આવી હતી. તેમજ મનરેગા યોજના અંતર્ગત મળવાપાત્ર વ્યક્તિગત લાભો વિશે ડી.ડી.પી.સી. છૈયાભાઈ તેમજ તાલુકાના મનરેગા એ.પી.ઓ. દ્વારા પી.પી.ટી. દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં ખેડૂતોને મનરેગા યોજના અંતર્ગત મળતા લાભોમાં વ્યક્તિગત ખેત તલાવડી બનાવવી, વ્યક્તિગત ચેક ડેમો બનાવવા, જમીન લેવલિંગ કામો, શોક પીટના કામો, કંપોસ્ટ પીટના કામો, કુવા રિચાર્જ કરવાના કામો, નવા સામુહિક કૂવાના કામો જેવા વિવિધ વ્યક્તિગત અને સામુહિક કામો અંતર્ગત જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને સેમિનારમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ સિંચાઈ વિભાગ દ્વારા કુવા-બોર રિચાર્જ અંગે માહિતી આપવામાં આવી હતી. ઉક્ત સેમિનારમાં બહોળા પ્રમાણમાં ખેડૂતોએ ઉપસ્થિત રહીને માહિતી મેળવી હતી અને સેમિનારને સફળ બનાવ્યો હતો.




Latest News