મોરબીમાં ગોકુલ મથુરા સોસાયટીમાં આવેલા એપાર્ટમેન્ટની સાતમા માળની અગાશી ઉપરથી નીચે પડતાં મહિલાનું મોત મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે છોટાહાથીએ બાઈકને ઉડાવતા બે યુવાનોને ઈજા વાંકાનેરમાં યુવાન ઉપર ભાભી અને ભત્રીજાએ હુમલો કર્યો વાંકાનેર જુના ઝઘડામાં અલ્તાફ પર રાજુ રબારી સહિતનાનો ધારીયા-પાઇપથી હુમલો વાંકાનેરમાં અંધ-અપંગ ગૌ આશ્રમના ઘાસચારાના ગોડાઉનમાં આગ લાગતા 20 લાખનું નુકશાન મોરબીમાં નંદીઘરમા તાત્કાલિક ઘાસચારો-પાણીની વ્યવસ્થા કરવા કોંગ્રેસનાં આગેવાનની માંગ કાચું કપાયું કે શું ?: મોરબીના સિરામિક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિની ઝારખંડમાં માનવ તસ્કરી સહિતના ગુનામાં ધરપકડ હળવદના સાપકડા ગામનો બનાવ: દીકરાએ પિતાને કામ ધંધો કરવાનું કહેતા દંપતી વચ્ચે થયેલ ઝઘડા બાદ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મનરેગા યોજના અન્વયે સેમિનાર યોજાયો


SHARE











વાંકાનેરમાં મનરેગા યોજના અન્વયે સેમિનાર યોજાયો

વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો માટે માર્ગદર્શનલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ.ગઢવી દ્વારા ખેડૂતોને વિવિધ યોજનાકીય લાભો વિશે ઊંડી સમજ આપવામાં આવી હતી. તેમજ મનરેગા યોજના અંતર્ગત મળવાપાત્ર વ્યક્તિગત લાભો વિશે ડી.ડી.પી.સી. છૈયાભાઈ તેમજ તાલુકાના મનરેગા એ.પી.ઓ. દ્વારા પી.પી.ટી. દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં ખેડૂતોને મનરેગા યોજના અંતર્ગત મળતા લાભોમાં વ્યક્તિગત ખેત તલાવડી બનાવવી, વ્યક્તિગત ચેક ડેમો બનાવવા, જમીન લેવલિંગ કામો, શોક પીટના કામો, કંપોસ્ટ પીટના કામો, કુવા રિચાર્જ કરવાના કામો, નવા સામુહિક કૂવાના કામો જેવા વિવિધ વ્યક્તિગત અને સામુહિક કામો અંતર્ગત જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને સેમિનારમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ સિંચાઈ વિભાગ દ્વારા કુવા-બોર રિચાર્જ અંગે માહિતી આપવામાં આવી હતી. ઉક્ત સેમિનારમાં બહોળા પ્રમાણમાં ખેડૂતોએ ઉપસ્થિત રહીને માહિતી મેળવી હતી અને સેમિનારને સફળ બનાવ્યો હતો.






Latest News