10 કિલો મીટરનો ધક્કો કરીને ડીઝલ લેવા આવી અને 2 હાજરનું ડીઝલ આપે આમ ખેતી કરવી કેમ: ચરાડવાના ખેડૂતના હાલબેહાલ મોરબીના કલેક્ટરે વસ્તી ગણતરીની સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી: જિલ્લાના લોકોને રાષ્ટ્રહિતના મહાઅભિયાનમાં જોડાવા અપીલ મોરબી નજીક નર્મદાની કેનાલ લીકેજ થતાં ખેડૂતોને થયેલ નુકશાનનું વળતર ચૂકવવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં તાણ - આંચકી અને હાર્ટ એટેકથી બે યુવાનોના મોત મોરબીના જનતા કલાસીસમાં ધો. 12 કોમર્સના વિદ્યાર્થીઓએ મેળવી ઝળહળતી સિધ્ધી: એડમિશન ઓપન મોરબીમાં સ્નેપચેટથી સંપર્કમાં આવેલ યુવતીના અપહરણ બાદ દુષ્કર્મ આચરી, ન્યુડ ફોટો વાઇરલ કરવાની ધમકી : ગુનો નોંધાવાતા તપાસ શરૂ હળવદના ગોલાસણ ગામે ઘરમાં જુગાર રમતા બે મહિલા સહિત 6 પકડાયા ટંકારાના સજનપર ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને સસરા-પુત્રવધૂને એક શખ્સે માર માર્યો: મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મનરેગા યોજના અન્વયે સેમિનાર યોજાયો


SHARE











વાંકાનેરમાં મનરેગા યોજના અન્વયે સેમિનાર યોજાયો

વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો માટે માર્ગદર્શનલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ.ગઢવી દ્વારા ખેડૂતોને વિવિધ યોજનાકીય લાભો વિશે ઊંડી સમજ આપવામાં આવી હતી. તેમજ મનરેગા યોજના અંતર્ગત મળવાપાત્ર વ્યક્તિગત લાભો વિશે ડી.ડી.પી.સી. છૈયાભાઈ તેમજ તાલુકાના મનરેગા એ.પી.ઓ. દ્વારા પી.પી.ટી. દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં ખેડૂતોને મનરેગા યોજના અંતર્ગત મળતા લાભોમાં વ્યક્તિગત ખેત તલાવડી બનાવવી, વ્યક્તિગત ચેક ડેમો બનાવવા, જમીન લેવલિંગ કામો, શોક પીટના કામો, કંપોસ્ટ પીટના કામો, કુવા રિચાર્જ કરવાના કામો, નવા સામુહિક કૂવાના કામો જેવા વિવિધ વ્યક્તિગત અને સામુહિક કામો અંતર્ગત જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને સેમિનારમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ સિંચાઈ વિભાગ દ્વારા કુવા-બોર રિચાર્જ અંગે માહિતી આપવામાં આવી હતી. ઉક્ત સેમિનારમાં બહોળા પ્રમાણમાં ખેડૂતોએ ઉપસ્થિત રહીને માહિતી મેળવી હતી અને સેમિનારને સફળ બનાવ્યો હતો.






Latest News