મોરબીના ભડીયાદ પાસે ૫૫૫ કારખાનાની કોલોનીમાં દંપતિને ત્રણ શખ્સોએ માર માર્યો
ઇ–શ્રમિક કાર્ડ નહીં તો રેશનિંગનો જથ્થો નહીં: મોરબી કલેક્ટરનો તઘલખી નિર્ણય
SHARE
ઇ–શ્રમિક કાર્ડ નહીં તો રેશનિંગનો જથ્થો નહીં: મોરબી કલેક્ટરનો તઘલખી નિર્ણય
સરકાર દ્વારા ઇ શ્રમ કાર્ડ કાઢવામાં આવી રહ્યા છે જોકે આ કાર્ડ કઢાવવા માટે ગયેલા લોકોને ટેકનિકલ ખમીના લીધે અગાઉ ધકા પણ થાય છે ત્યારે હાલમાં મોરબીમાં કલેક્ટર દ્વારા એવો તઘલખી નિર્ણય કરવામાં આવ્યો છે કે, “ઇ-શ્રમ કાર્ડ ન કઢાવનારા રેશનકાર્ડ ધારકોને અનાજ, ચોખા, ખાંડ નહિ આપવામાં આવે” ? જેથી ઘણા ગરીબ પરિવારો રાશાનની વસ્તુઓથી વંચિત રહે તેવી શક્યતા છે
મોરબી જીલ્લામાં “ઇ–શ્રમ કાર્ડ ન કઢાવ્યું હોય તેમને અનાજ, ચોખા, ખાંડ, મીઠું કે અન્ય ચીજ વસ્તુઓ આપવામાં નહીં આવે તેવો કલેકટર દ્વારા હુકમ કરવામાં આવેલ છે ત્યારે મોરબી કલેકટરના આ હુકમથી ઘણા ગરીબ પરિવારના લોકોને રાશાનની વસ્તુઓ ન મળે તેવી પરિસ્થિતી ઊભી થાય તેવી શકયા છે ત્યારે જવાબદાર અધિકારી દ્વારા મોરબી જીલ્લામાં ઇ–શ્રમ કાર્ડ કામગીરી પણ થાય અને ગરીબો રાશાનની વસ્તુઓથી વંચિત પણ ન રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તે જરૂરી છે